SearchBrowseAboutContactDonate
Page Preview
Page 377
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રમણભગવતો ૮૩ મહાવીરની આ ગહન જ્ઞાનશક્તિ અને વાત્સલ્યભર્યું વલણ જોઈ ઇન્દ્રભૂતિના જ્ઞાનને ગર્વ ગળી ગયે. વાદ-વિવાદ કરવાનું પણ એ વીસરી ગયા અને પિતાની શંકાનું સમાધાન પામી, ભગવાન મહાવીરને સમર્પિત થઈ, પિતાના ૫૦૦ શિષ્યો સાથે દીક્ષા લઈ, ભગવાન મહાવીરના પ્રથમ શિષ્ય-ગણધર બની કૃતકૃત્યતા અનુભવી રહ્યા. શ્રી ગૌતમસ્વામી પ્રથમ ગણધરપદનું તેમ જ ગુરુ-શિષ્યના આદર્શનું અદ્વિતીય અને વિરલ આદરમાન પામ્યા છે. ભગવાન અને ગૌતમસ્વામી વચ્ચે સંવાદ સમગ્ર જિનાગમશાસ્ત્રમાં મહત્વનું બની ગયે છે. તેઓ વચ્ચેના સૌથી વધુ પ્રશ્નોત્તર આશરે ૩૬ હજાર – ભગવતીસૂત્રમાં જોવા મળે છે. ૨૩મા તીર્થકર શ્રી પાર્શ્વનાથ પ્રભુની પરંપરાના શ્રી કેશી ગણધર સાથેના વાર્તાલાપમાં, તેમના દરેક સંશયાનું સમાધાન કરનાર અને ભગવાન મહાવીરની પરંપરાને અંગીકાર કરાવનાર શ્રી ગૌતમસ્વામી બુદ્ધિનિધાન હતા, તેમ અતિ ઉગ્ર તપ, ઉત્તમોત્તમ ભાવ અને ધ્યાનના કારણે તેઓ લલ્પિનિધાન પણ હતા. દીપોત્સવીના દિને ચેપડાપૂજનમાં “શ્રી ગૌતમસ્વામીની લબ્ધિ હ’ એમ લખવાની અને બેસતા વર્ષે મંગલ પ્રભાતે ધર્મ સ્થાનમાં “શ્રી ગૌતમસ્વામીના રાસ’નું માંગલિક રૂપે શ્રવણ કરવાની પરંપરા આજ વર્ષોથી ચાલતી આવી છે. શ્રી વીરશાસનના સંઘનાયક, પ્રથમ પટ્ટધર શ્રી સુધમસ્વિામીનું જીવન-દર્શનઃ વિ. સં. પૂર્વે ૪૧૭ના આ વદિ અમાસની પાછલી રાત્રિએ ભગવાન મહાવીર સ્વામી નિર્વાણ પામ્યા અને તેના બીજા જ દિવસે વહેલી સવારે શ્રી ગૌતમસ્વામી કેવલજ્ઞાન પામ્યા. ભગવાન મહાવીર સ્વામીની વિદ્યમાનતામાં ૯ ગણધરે નિર્વાણ પામ્યા હતા અને અન્ય બે વિદ્યમાન ગણધરોમાં શ્રી ગૌતમસ્વામી ભગવાન મહાવીર સ્વામીના નિર્વાણ પછી અલ્પ સમયમાં કેવલજ્ઞાન પ્રાપ્ત કરતા (ભગવાન મહાવીર સ્વામીના પ્રથમ પટ્ટધર અને ચતુર્વિધ સંઘના નાયક શ્રી સુધર્માસ્વામી થયા. શ્રી સુધર્માસ્વામીને જન્મ વિ. સં. પૂર્વે ૫૫૦માં મગધદેશના કેલ્લાગ નિવેશ ગામે થયો હતો. ભગવાન મહાવીર (વર્ધમાન)નાં જે જન્મનક્ષત્ર અને જન્મરાશિ હતાં, તે જ ઉત્તરા ફાગુની નક્ષત્ર અને કન્યા રાશિમાં શ્રી સુધર્માસ્વામીને જન્મ થયો હતો. તેમના પિતાનું નામ ધમ્મિલ અને માતાનું નામ ભદ્રિલા હતાં. તેઓ અગ્નિશ્યાયન ગોત્રીય બ્રાહ્મણ હતા. (શ્રી સુધર્માસ્વામી વિવોપાસનામાં ફ, સામ, યજુ, અથર્વ એ ચાર વેદ, શિક્ષા, કપ, વ્યાકરણ, નિરુક્તિ, છંદ અને જ્યોતિષ એ છ વેદાંગે; અને મીમાંસા, ન્યાય, ધર્મદર્શન અને પુરાણું એ ચાર ક્રિયાકાંડ આદિના પ્રકાંડ પંડિત અને આચાર્ય બન્યા હતા. તેમની પાઠશાળામાં ૫૦૦ વિદ્યાર્થીઓ શિષ્ય વિદ્યાભ્યાસ કરતા હતા. એ સમયે યજ્ઞને ખૂબ જ મહિમા હતા. એમિલ નામના વિપ્રદેવે અપાપાનગરીમાં એક મહાયજ્ઞ યે હતા. તેમણે આ યજ્ઞના ક્રિયાકાંડ માટે દેશના ખ્યાતનામ પંડિત-વ્યાત્વિજેને નિમંચ્યા હતા. તેમાં પધારેલા અગિયાર પ્રકાંડ આચાર્ય પંડિતમાં શ્રી સુધર્મા પણ પધાર્યા હતા. એ જ સમયે ભગવાન મહાવીર, કેવલજ્ઞાન પ્રાપ્ત કરી દેશના આપવા, અપાપાપુરી પધાર્યા હતા. Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004596
Book TitleShasana Prabhavaka Shraman Bhagwanto Part 1
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1992
Total Pages722
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy