SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ શાસનપ્રભાવક પૂર્વગ્રહથી મુક્ત બનીને જૈનાચાર્યોના પરિચયમાં આવ્યા, એ સૌ તેઓશ્રીની જીવનશૈલીથી પ્રભાવિત બન્યા વિના રહ્યા નથી. અકબર બાદશાહ ઉપરાંત હજી થોડાં વર્ષો પહેલાંનાં જ રજવાડાંઓના કેટલાંયે દૃષ્ટાંતે નોંધાયેલાં છે. જૈનાચાર્યોમાં રહેલાં તપ-ત્યાગ-જ્ઞાન-વૈરાગ્યઆચારશુદ્ધિ-વિચારશુદ્ધિ-નિઃસ્પૃહતા–પપકારીતા જેવાં લક્ષણેની છાપ બીજા છ પર પડે છે. સાધુજીવન સાદું સરળ અને નિખાલસ હેવું જોઈએ એ આ જૈનાચાર્યોમાં જોવા મળે છે, માટે તેઓ આદરણીય બન્યા છે. પૂર્વે થઈ ગયેલા જૈનાચાર્યોમાં ઘણું અજેન હતા. વર્તમાનમાં પણ વિચરી રહેલા કેટલાક જૈનાચાર્યો જૈનેતર છે અને ચારિત્ર ગ્રહણ કરી આચાર્યપદે પહેચા છે. આવી ઘટનાઓ આ પ્રભાવને આભારી છે. જૈનાચાર્યોનાં ક્રાંતિકારી કદમ : આજે “ક્રાંતિ” જે અર્થમાં વપરાય છે તે અર્થમાં જૈનાચાર્યો ક્યારેય ક્રાંતિકારી બન્યા નથી. સાચું સમજાયા પછી અસત્યને ત્યાગ અને સત્યને સ્વીકાર – આને જે ક્રાંતિ ગણીએ તે શાસનપ્રેમી જનાચાર્યો આ રીતે સત્યના સ્વીકારમાં સદા અગ્રેસર રહ્યા છે. (જેનદર્શનમાં ગુણધર્મની પ્રધાનતા : જેણે પંચેન્દ્ર પર વિજય પ્રાપ્ત કરીને સંયમની સિદ્ધિ પ્રાપ્ત કરી છે એ જૈન છે. દર્શન, જ્ઞાન અને ચારિત્રની સંપ્રાપ્તિ દ્વારા મેક્ષપદને પામે તે જેન છે. કેવળજ્ઞાનની પ્રાપ્તિના માર્ગ પર પહોંચીને આત્માના વાસ્તવિક વિરાટ સ્વરૂપને નીરખીને તેમાં જ રમમાણ રહે તે જૈન છે. જૈન તીર્થકરો ક્ષત્રિય હતા, ગણધરે અને કેટલાયે આચાર્યો જેનેતર હતા. મહાન આચાર્યો સિદ્ધસેન દિવાકર, હરિભદ્રસૂરિજી આદિ બ્રાહ્મણવંશના હતા. સ્વયંપ્રભસૂરિ અન્ય કુળમાં જમ્યા હતા. વર્તમાન પરંપરામાં પૂ. શ્રી ચારિત્રવિજયજી બુંદેલખંડના બ્રાહ્મણ હતા. જેનધર્મમાં વ્યક્તિના મૂલ્યાંકનને આધાર તેના જાતિ, કુળ કે ઉંમર ઉપર નથી, પણ તેનાં જ્ઞાન, દર્શન અને ચારિત્રના વિકાસ પર અવલંબે છે. જ્ઞાન, દર્શન અને ચારિત્રના પરિસરમાં જતિર્ધરનું યુગદર્શન : જૈનાચાર્યોના જીવનમાં જ્ઞાન, દર્શન અને ચારિત્રરૂપ રત્નત્રયીનું મહત્ત્વ મુખ્ય રહ્યું છે. તેઓનું જીવન જ એવું હોય છે કે તેઓનાં પગલે પગલે રત્નત્રયીનું પ્રદાન થતું રહે છે. પ્રાચીનકાળની અપેક્ષાએ વર્તમાનમાં થેડી શિથિલતા લાગે તો ના નહિ, પણ બીજી રીતે છેલ્લા દસકામાં જૈનમાં વધેલી પ્રબળ ધર્મભાવનાએ જોર પકડ્યું છે. તેનાથી જૈનધર્મ પ્રત્યે સૌની આશા-શ્રદ્ધા એર વધી જાય છે. આમ થવાનું કારણ પૂજ્ય ભગવંતના આચારવિચારને પ્રભાવ છે. પૂર્વે પૂજ્ય હેમચંદ્રાચાર્યું કે પૂ. ઉપાધ્યાય શ્રી યશોવિજયજીએ અનેક ગ્રંથ રચ્યા, તેમ વર્તમાનમાં પૂ. મુનિશ્રી જિનેન્દ્રવિજ્યજીએ વિદ્યાપીઠ દ્વારા, પૂ. સાગરાનંદ Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004596
Book TitleShasana Prabhavaka Shraman Bhagwanto Part 1
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1992
Total Pages722
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy