SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ શાસનપ્રભાવક નવમી સદી પહેલાને ઇતિહાસ તપાસતાં ખ્યાલ આવે છે કે ગિરિતીર્થ, જ્યાં ભેજરાજાએ સંસ્કૃત વિદ્યાપીઠ સ્થાપી હતી, જ્યાં એક સમયે ૩૦૦ જિનમંદિરે ઝળાંહળાં થતાં હતાં, ત્યાંના ધર્મપ્રેમી મંત્રીશ્વરે પેથડશા અને ઝાંઝણશાનું જૈન ધર્મમાં જે અપ્રતિમ ગદાન હતું તે અમર રહેશે. કહેવાય છે કે, વસ્તુપાલે તેર તેર અને પેથડશાહે ચેર્યાસી જિનમંદિર બંધાવ્યાં. કુંભારાણના મંત્રી ધરણશાએ બત્રીસ વર્ષની ઉંમરે બ્રહ્મચર્યનું વ્રત અંગીકાર કરી, રાણકપુર (ધરણુવિહાર)માં ૯૯ કોડ નામહેર ખચી ૧૪૪૪ સ્થંભ સહિતનું નલિની ગુમ વિમાન જેવા ચૌમુખજીના ભવ્ય મંદિની ૧૯૪૬માં પ્રતિષ્ઠા કરાવેલી. એમ કહેવાય છે કે ભારતભરમાં આના જેવું બીજું એકેય મંદિર જણાતું નથી. વસ્તુપાલે વડોદરાના પાર્શ્વનાથ જિનાલયને કરાવેલો જીર્ણોદ્ધાર ચિરસ્મરણીય રહેશે. ઉદયન મંત્રીએ ખંભાતમાં ઉદયનવસહી નામનું બનાવરાવેલું જિનમંદિર આજે પણ સૌને ચિત્તાકર્ષક લાગે છે. સિદ્ધરાજના મંત્રી સજજન શ્રેષ્ઠીએ ગિરનાર (રેવતગિરિ) પર સં. ૧૮૮૫માં કરાવેલ જીર્ણોદ્ધાર જિનભક્તિનું પ્રેરક ઉદાહરણ છે. ડુંગરપુરના રાજા સોમદાસના મંત્રી એ સવાલ સાદરાએ અચલગઢમાં કરેલી જિનભક્તિ પ્રશંસાપાત્ર બની ગઈ. નાહડ મંત્રીએ કેરટાજી અને જોધપુર પાસેના સરમાં બંધાવેલાં જિનમંદિરે તેમની જિનભક્તિના પ્રબળ પુરાવા છે. મધ્યપ્રદેશના માંડવગઢના ગ્યાસુદ્દીન બાદશાહના સંગ્રામની મંત્રીએ છૂટે હાથે લક્ષમીને ધોધ વહાવીને માગસી, માંડવગઢ ધાર, મંદસૌર વગેરે સ્થળોએ સત્તર જેટલાં વિશાળ જિનમંદિરનું નિર્માણ કરાવીને ઇતિહાસ સર્જ્યો છે. આ સર્વ પ્રભાવ અને પ્રતાપ જેનાચાર્યોની પ્રેરણા અને જેની ઉદારતાને આભારી છે. તીર્થસ્થાનો અને જિનમંદિરમાં સાર્થકનામી પ્રમાણેનું યોગદાન : તીર્થસ્થાને અને જિનમંદિરનાં સર્જન એ મુખ્યત્વે તે શ્રાવકસંઘની ફરજ છે. પૂ. આચાર્યદેવાદિ મુનિવર્યો આ અંગે ઉપદેશથી જરા પણ આગળ નથી વધતા. આ કારણે જ પૂર્વનાં તીર્થો સર્વમાન્ય બની શક્યાં હતાં. પૂજ્ય મુનિવર્યો માત્ર ઉપદેશક રહે અને શ્રાવકે નિર્માણકાર્યોમાં દિલ દઈને રસ લે તે તીર્થોની આભા ઓર રીતે ખીલી ઊઠે. છેલ્લી સદીમાં જે જે તીર્થસ્થાને ઉદ્ધાર પામ્યાં અને વિકસ્યાં; જેવાં કે, કદમ્બગિરિ, હસ્તગિરિ, સમેતશિખરજી, ભરૂચ, પાવાપુરી, શંખેશ્વરજી, ભદ્રેશ્વર આદિ – એના વિકાસ અને સંવર્ધનમાં જે જે પૂજ્ય આચાર્યોએ–શ્રમણોએ ઉપદેશ દ્વારા તીર્થભકિત કરાવી તે અનુપમ અને અજોડ છે. આવી પ્રવૃત્તિ પૂર્વકાળમાં પણ અન્ય મહાપુરુષોએ કરી-કરાવી-અનુદી છે. હેમચંદ્રસૂરિતારંગા તીર્થયજસ્વામી–જાવડશા–શત્રુંજય તીર્થને ઉદ્ધાર ઇત્યાદિ તરત જ સ્મરણે ચડે. પંદરમી સદીમાં પૂ. આ. શ્રી સમસુંદરસૂરિજી મહારાજને ૧૮૦૦ સાધુઓને પરિવાર હતો. અને એ કાળમાં શાસનપ્રભાવના કરનારા પૂ. શ્રી જ્ઞાનસાગરસૂરિજી, પૂ. શ્રી કુલમંડનસૂરિજી, પૂ. શ્રી જયચંદ્રસૂરિજી, પૂ. શ્રી ગુણરત્નસૂરિજી, પૂ. શ્રી સોમસુંદરસૂરિજી, પૂ. શ્રી રત્નશેખરસૂરિજી, Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004596
Book TitleShasana Prabhavaka Shraman Bhagwanto Part 1
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1992
Total Pages722
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy