SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ શાસનપ્રભાવક સાધુજીવનની પ્રેરક આચારસંહિતા ? જૈન સાધુનું જીવન સાવ સાદું અને સીધું છે. એમના જીવનમાં જે આચાર-વિચારનાં દર્શન આપોઆપ થાય છે તે તેના જીવનમાંથી સીધે ઉપદેશ આપે છે. પાંચ મહાવ્રતે એમનાં જીવન-કવનની મુખ્ય ચાવી છે. એ દ્વારા જ તેઓ સમકિતી, ભવભીરુ, મોક્ષના અનુગામી અપરિગ્રહી તરીકે પ્રસિદ્ધિ પામે છે. કહે છે કે સાધુવેશ અને સાધુપણું એ બન્નેને સુભગ સમન્વય સધાઈ જાય તે દુનિયા જતી રહે અને આત્મા મુક્તિ તરફના ઉદ્યનમાં સૌથી આગળ નીકળી જાય. જેન સાધુ માટે માત્ર ભારતમાં જ નહિ, પણ પરદેશમાં પણ ખૂબ ઊંચું માને છે. સાધુજીવનના તમામ આચાર પ્રેરક છે, પણ તેમાં યે વિહાર, ગોચરી અને ઉદ્દેશદાન આદિ વિશેષ પ્રેરક છે. ખુલ્લા પગે અને ખુલ્લા માથે સદાકાળ વિચરનાર આ મુનિભગવંતે શાસનના કીતિ સ્તંભે છે. આ શ્રમણોએ સંસારી જીની ધર્મશ્રદ્ધાને અવિચળ રાખી છે. તંત્રવિદ્યાના બળની પરંપરા અને શ્રમણ-સાધકો : એમ કહેવાય છે કે મંત્રશક્તિથી, સંયમ અને તપના બળથી શ્રમણમાં અપૂર્વ લબ્ધિ હોય છે. પણ તેને નામના અને કામના માટે ઉપયોગ કરવામાં માનતા નથી. શાસનની પ્રભાવનાને જ જ્યાં પ્રશ્ન હોય, જ્યાં શાસન હેલનાથી બચાવવાની જરૂરિયાત ઊભી થાય, ત્યાં જ આ શક્તિ વપરાય. દા. ત. પૂ. ઉપાધ્યાય શ્રી શાંતિવિજયજીએ કટકના કિલ્લા માટે, શ્રી વાસ્વામીજીએ સુકાળમાં સંઘને લઈ જવા માટે આવી શક્તિને ઉપયોગ કર્યો હતો. એ બતાવે છે કે આવી શક્તિને ઉપગ અપવાદી આચરણમાં જ થતો હોય છે. ડાં વર્ષો પૂર્વેનો જ ઇતિહાસ તપાસણું તે મંત્ર-તંત્ર વિદ્યાના જાણકાર સાધુઓ અને યતિઓ જેવા મળશે. આ બધી વિદ્યાઓ કાચા પારા જેવી હેવાથી પચે તે ઊગી નીકળતી અને ન પચે તે ફટી નીકળતી. એથી જ પડતો કાળ જોઈને આ વિદ્યાઓનું આદાનપ્રદાન બંધ થયું. શ્રમણોએ યોગ તથા મંત્રસાધના દ્વારા જેનશાસન ઉપર મહાન ઉપકારે પણ કર્યા છે, તેની નોંધ અવશ્ય લેવી જ જોઈએ. મરકી વગેરે જેવા ભયંકર રોગોના નિવારણ માટે “ઉવસગ્ગહર”, “ક્ષતિકર ” વગેરેની રચના થઈજેના ઉપયોગથી જૈનધર્મને પ્રભાવ જરૂર વધે. શાસ્ત્રોની પવિત્ર આજ્ઞાનુસાર સાધુ-વૈયાવચ્ચ સુપાત્રદાનનાં સફળ : આ શ્રમણ ભગવંતની સેવાભક્તિનો મહિમા અનેકગણે ગવાય છે. ચક્રવતી મહારાજા ભરત અને મહાબલી બાહુબલીઝ પૂર્વજન્મમાં બાહુ-સુબાહુ હતા. સંયમ લઈને ૫૦૦-૫૦૦ સાધુઓની વૈયાવચ્ચ–ભક્તિ કરીને અપૂર્વ ફળ પામ્યા. પ્રથમ તીર્થકર શ્રી કષભદેવ પ્રભુના આત્માએ ધનાસા વાહના ભવમાં પૂ. આ. શ્રી ધર્મષસૂરીશ્વરજી મહારાજના સાધુઓની અપૂર્વ ભક્તિ કરીને સમ્યદર્શન પ્રાપ્ત કર્યું. અંતિમ તીર્થંકર શ્રી મહાવીર પ્રભુના આત્માએ નયસારના ભાવમાં સાધુવર્યોની ભક્તિ કરી અને માર્ગ દેખાડ્યો તો એમને સમ્યક્દર્શનરૂપ માર્ગ પ્રાપ્ત થયે. કૃષ્ણ મહારાજાએ પૂ. ગુરુવર્યોને ઉત્કૃષ્ટ ભાવથી વંદના કરીને અંતિમ ચાર Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004596
Book TitleShasana Prabhavaka Shraman Bhagwanto Part 1
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1992
Total Pages722
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy