SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રમણભગવંતો-૧ થઈ રહી છે તે ઘણું અનુમંદનીય છે. સાધર્મિકમાં ધર્મશ્રદ્ધાની રક્ષા અને વૃદ્ધિ કરવા માટે શ્રીમંતે એ સમયની માંગને સ્વીકારવી પડશે. મૃત્યુને મહોત્સવ માનવામાં આવે છે ? મૃત્યુ માટેની તૈયારી સારી રીતે કરવી એનું જ નામ સાધના છે. જૈન સાધુ આ સાધનાને સાધક છે. એને જીવતરને ખેટે મેહ નથી અને મૃત્યુને જરા પણ ડર નથી. શરીરને પૂરે કસ કાઢી લીધા બાદ જ્યારે એમ લાગે કે હવે આ શરીર કઈ પણ પ્રકારની સાધનામાં સહાયક થઈ શકે તેમ નથી, ત્યારે અનશનના સ્વીકાર પૂર્વક અનેક જૈનમુનિએ હસતાં હૈયે મૃત્યુને વર્યા છે, એને ઈતિહાસ ખૂબ રસપ્રદ છે. આત્માનું મૃત્યુ ક્યારેય થતું જ નથી. દેહમાંથી અલગ થઈને આત્મા અન્યત્ર જાય છે. સદ્દગતિએ જવા મળે તે તેને અનહદ આનંદ હોય છે. સમાધિમરણ નિકટ મુક્તિનું કારણ ગણાયું છે. મૃત્યુને કાળધર્મ (કાળ = સમયને ધર્મ = સ્વભાવ) કહેવાય છે. જેનધમીએ મૃત્યુને મહત્સવ ગણે છે એ જ આ ધર્મનું રહસ્ય છે. પ્રભુએ મૌખિક રીતે આપેલાં આગમશાસ્ત્રોને આ શમણે અહીં સુધી કેવી રીતે લાવ્યા ? શ્રી મહાવીર પ્રભુએ અર્થથી જે દેશના આપી તે સર્વ પ્રથમ ગણધરોએ સૂત્રમાં રચી. એ સૂત્રોમાં ગૂંથાયેલી દેશનાને શિષ્ય-પ્રશિષ્યને અધ્યયનના માધ્યમથી અપાઈ. (જ્યારે ગણધરેએ દ્વાદશાંગીની રચના કરી ત્યારે તે વરપ્રભુએ ફરી શ્રવણ કરી, એટલે એ શુદ્ધ અને સહેતુક સમજાઈ.) આ આગમો કમશઃ નવમા–દસમા સૈકા પછી શ્રમણોએ ભેગા થઈને લિપિમાં લખ્યાં, જે વલ્લભી આદિ નામે ઉલ્લેખાય-ઓળખાય છે. ત્યાર બાદ, એ આગમેને પંચાંગીમાં (ચૂણિ–ભાષ્ય-ટીકા વગેરેમાં) ફરી સ્પષ્ટ કરી, સમયે સમયે મહાપુરુષોએ આજ સુધીમાં પુસ્તકના આધારેથી એ જ્ઞાનને અહીં સુધી પહોંચાડ્યું છે. અમુક સમય સુધી આ આગમજ્ઞાન અનુપ્રેક્ષા અને સ્વાધ્યાય દ્વારા અણિશુદ્ધ અને અખંડ ટકી રહ્યું હતું; પણ ભગવાન મહાવીરના નિર્વાણ બાદ, લગભગ ૯૦૦ વર્ષ બાદ, વ્યાપક દુષ્કાળને કારણે મુનિવિહારનાં વહેણે અટકી પડ્યાં. સ્વાધ્યાય, પુનરાવર્તન અને અધ્યયનની પ્રક્રિયા વેરવિખેર બની ગઈ. તેથી કંઠસ્થ શ્રતને કઈ કઈ અંશ વિમૃત બને. આ વિસ્મૃતિમાંથી શ્રતને સુરક્ષિત રાખવા માટે જ શ્રેમાશ્રમણ દ્વારા ભગીરથ કાર્ય આરંભાયું. આ મૂલ્યવાન વારસે ડાઘણું અંશે આજે આપણે સંઘ સુધી અખંડ રીતે ચાલ્યા આવે છે. પૂર્વધર પૂ. આ. શ્રી આર્યરક્ષિતસૂરિજી મહારાજાએ પૃથક અનુગની વ્યવસ્થા કરી અને તેથી આજે આપણે પૂર્વ પુરુષની પરંપરા દ્વારા જૈન આગમને શુદ્ધ વા મેળવી શક્યા છીએ. એવું જ મોટું યોગદાન આગમસાહિત્ય-ક્ષેત્રે પૂ. આ. શ્રી સાગરાનંદસૂરિજીનું પણ ગણી શકાય. Jain Education International 2010 04 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004596
Book TitleShasana Prabhavaka Shraman Bhagwanto Part 1
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1992
Total Pages722
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy