SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રમણભગવંતો-૧ પિતે જે ભિક્ષા તૈયાર કરાવી ન હોય અને જે ભિક્ષાની ઉત્પત્તિને પોતે અનુદી ન હોય, એવી ભિક્ષા જ જૈન સાધુઓના ઉપયોગમાં આવે છે. આવી ભિક્ષા ગ્રહણ કરવાની પદ્ધતિને ગોચરી નામ અપાય છે. આ રીતે સાધુઓ અનેક ઘરમાં ફરીને પોતાના જીવનનિર્વાહ માટે જરૂરી આહાર મેળવી લે છે. સામી વ્યક્તિને તકલીફ પહોંચાડ્યા વિના તેમ જ કોઈપણ જાતના સાવધ કે આરંભ વિના પિતાની જરૂરિયાત મુજબને આહાર મેળવવું એ ગોચરીનું મુખ્ય લક્ષણ છે. આ ગોચરી જેનશાસનનું એક અપૂર્વ પ્રદાન છે. તેથી જ આજે પણ જૈનમુનિઓ જ્યાં જાય ત્યાં જેની વસતી ન હોય તે પણ સૌ એમને “પધારે પધારે” કહીને સત્કારે છે. સાધુઓ બીજાને ભારરૂપ ન થાય તે રીતે ૪૭ દેશોથી રહિત ગોચરીધમ કીધે છે. કેઈપણ જાતની હિંસા કે પાપ વિના સાધુ પિતાના સંયમજીવનને નિર્વાહ કરે તે એને સાર છે. મુનિજીવનમાં લોચનો મહિમા : મુનિજીવન સ્વાવલંબી, આત્માભિમુખ અને સહનશીલતાના પાયા ઉપર છે. જે શરીર દ્વારા ચીકણાં કર્મો બાંધ્યાં છે તે શરીરને કષ્ટ આપી કમ ખપાવવાં. સકામ નિજર કરી કર્મ રહિત થવા ગોચરી, લંચ અને વિહાર – ત્રણ મુખ્ય છે. વિહાર દ્વારા કઈ એક ઘર-મકાન-ગામ કે શ્રાવક પ્રત્યે ગાઢ મમત્વ કે રાગ-દશા બંધાતી નથી. લોચ પણ છ મહિને અથવા પર્યુષણ પહેલાં તે અવશ્ય કરાવે જ. લેચ કરનારને અઠમનું અને કરાવનારને છટ્રનું ફળ મળે છે. મરણ સમયે, વ્યાધિઓના વાવંટોળ વચ્ચે, સમાધિની ત જાળવી જાણવી એ સહેલી વાત નથી. જીવતે જીવ સામેથી કષ્ટને આમંત્રણ આપીને એને વેઠવાની ટેવ પાડવામાં આવે તે જ શાંતિથી મૃત્યુ પામી શકાય. સામેથી દુઃખને બોલાવી એને સહર્ષ ભેટી લેવાની તૈયારી એટલે જ લેચ! શરીરની રોભા જૈન સાધુ માટે વર્ષ છે. કેમ કે આ શેભા જ બ્રહ્મચર્યની ઘાતક છે. વાળ એ શરીરની શોભા ગણાય છે, માટે દર ચાર મહિને કે છ મહિને વાળને હાથથી ઉખેડવાની પ્રક્રિયાને જૈન સાધુઓએ જીવંત રાખી છે, જે તેના નામે ઓળખાય છે. લોચ એક માત્ર જૈન સાધુઓના જીવનમાં જ જોવા મળે છે. જે પ્રક્રિયાને માત્ર સાંભળવાથી કે એકાદ વાળ ખેંચવાથી ભલભલા માનવીનું મન ધ્રુજી ઊઠે છે એ પ્રક્રિયા ૯-૧૦ વર્ષના બાલમુનિથી માંડીને ૯૦ વર્ષના વૃદ્ધ સાધુઓ હસતા મોંએ કરાવતા હેય છે. સાધુઓ માટે આવશ્યક વિહાર કાર્યકમ : વિહાર પણ જૈન સાધુઓની એક આગવી વિશેષતા છે. એક જ સ્થાને વધુ સમય રહેવાથી એ ક્ષેત્ર અને ક્ષેત્રના વાતાવરણ સાથે એક જાતની મમત્વની ગાંઠ બંધાતી જાય છે, જે સાધક માટે ખતરનાક બની શકે. આ સંભાવનાથી ઊગરવા માટે વિહાર આવશ્યક છે. આ એક એવું ઉપકારક તત્ત્વ છે, જે સ્વ-ઉપકારક બનવા ઉપરાંત પોપકારની નિર્મળ ગંગેત્રી વહેતી રાખવામાં મદદરૂપ બને છે. ગ્રામાનુગ્રામના વિચરણથી અવનવાં અનુભવજ્ઞાન, ભાષા Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004596
Book TitleShasana Prabhavaka Shraman Bhagwanto Part 1
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1992
Total Pages722
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy