SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨ શાસનપ્રભાવક તેઓની જિજ્ઞાસા જાણીને, સાધુઓ સન્માનપૂર્વક રાજસભામાં જતા અને ધર્મોપદેશ દ્વારા રાજાને પ્રભાવિત કરતા. ત્યાર પછી રાજ્યમાં ધર્મનો પ્રચાર થાય એમ સ્વાભાવિક બનતું. રાજા ધમી તે પ્રજા ધમી—એ ઉક્તિ અનુસાર સંપ્રતિ, સિદ્ધરાજ, કુમારપાળ, અકબર આદિ રાજાઓ ઉપદેશ પામીને જૈનધર્મને શ્રદ્ધાપૂર્વક સ્વીકારતા થયા અને પરિણામે જીવદયા, અમારિ, જિનમંદિર, ઉપાશ્રય, સદાવ્રત આદિનાં નિર્માણકાર્યો થયાં. રાજા સંપ્રતિએ તે સવા કરોડ જિનપ્રતિમાઓ અને સવા લાખ દેરાસર કરાવ્યાં. આમ, રાજવીઓ દ્વારા ગજબની શાસનપ્રભાવના થઈ જેનધર્મ અને પાદવિહાર યાત્રા : પ્રાચીન ભારતવર્ષમાં આજના જેવી ઝડપી ધાંધલધમાલ ન હતી. સબસે માઈલ દૂરની પ્રજા ધર્મની વાતે કેઈ પણ માધ્યમથી જલદી જાણી શકતી ન હતી. આ પ્રજાને તેઓનાં ગામમાં જઈ ઉપદેશ અપાતો તે જ સ્થિર અને રૂઢ બનતે. સાધુઓ સંયમનું પાલન કરતાં કરતાં ઉચ્ચ આચાર-વિચારના પ્રચાર દ્વારા જનસામાન્યને ધર્મના નીતિનિયમેથી અવગત કરાવતા. પરિણામે પાદવિહાર દ્વારા ધર્મને પ્રચાર થતો, ધર્મને પ્રભાવ રહે અને ધર્મની મહત્તા સમજાતી. ધર્મના આગવા સિદ્ધાંત દઢ થતા અને ધર્મની આગવી વિશેષતાઓ પ્રજાજીવનમાં સ્થિર થતી. પ્રભુ મહાવીરે શાસનની સ્થાપના કર્યા પછી ૩૦ વર્ષ સુધી જ પ્રભુનિશ્રામાં શાસનનું સંચાલન થવા પામ્યું. પ્રભુના નિર્વાણ પછી આજ સુધી શાસનને ચલાવનારા પૂજ્ય આચાર્યભગવંતે જ છે. સ્વ-પર ઉપકારના ધ્યેય સાથે સમગ્ર ભારતમાં પદયાત્રા દ્વારા સેંકડે માઈલે સુધી વિચરણ કરીને ધર્મતને જલતી રાખવામાં આ સાધુવરેએ જે ભેગ આપે છે તેનું મૂલ્ય આંકી શકાય તેમ નથી. આજે પણ જે જે પ્રદેશમાં જેનસાધુઓને વિહાર ચાલુ છે, તે પ્રદેશ અન્ય પ્રદેશની સરખામણીએ ધર્મસંસ્કારની દ્રષ્ટિએ અલગ તરી આવે છે. પાદવિહાર કરવાથી અનેક જીના પ્રત્યક્ષ સંપર્કમાં અવાય છે. ગામેગામ લેકેના રીતરિવાજ, ભાષા, માન્યતાઓ જાણુને ઉપદેશ અપાય છે અને પરિણામે, ગ્ય જીવનમાં ધર્મની શ્રદ્ધા દઢમૂલપ અંકિત કરી શકાય છે. લાખ લાખ વંદન હજો આવા પરમ ત્યાગી મહાત્માઓને !!! શ્રમણ ભગવંતો ઉત્તમ ગોચરી ધર્મ : નિર્દોષ આહારની ગવેષણ કરવા માટે આ ધર્મમાં ઉત્તમ વ્યવસ્થા છે. ભમરે જેમ પુષ્પને કલામણા ન થાય તે રીતે રસ લે છે, તેમ મુનિએ શ્રાવકને ત્યાંથી જે આહાર સ્વીકારે છે તે શરીરને માત્ર ટેકે આપવા માટે અંત-પંત નીરસ અને નિર્દોષ ભિક્ષા (ગોચરી)– ગાય ચરે તે રીતે સ્વીકારે છે. જૈન સાધુઓની ત્રણ વિશેષતા : ગોચરી, લંચ અને વિહાર. આ ત્રણથી સાધુસંસ્થા આપમેળે જ જુદી તરી આવે એવી આ પદ્ધતિ છે. પિતાને માટે જે ભિક્ષા તૈયાર થઈ ન હોય, Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004596
Book TitleShasana Prabhavaka Shraman Bhagwanto Part 1
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1992
Total Pages722
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy