SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રમણભગવંતો-૧ ૧૧ માટે ખૂબ જ મહત્ત્વનાં કાર્યો કર્યા છે. હમણું આપણે ત્યાં છેલ્લા દુષ્કાળમાં જેને એ મબલક ફંડ એકઠું કરીને પશુદયાનું સુંદર દષ્ટાંત પૂરું પાડ્યું. ગામેગામ પાંજરાપોળ દ્વારા પશુઓ માટે જે કામ થયાં અને થઈ રહ્યાં છે તેમાં જૈનાચાર્યોને જ મુખ્ય પ્રભાવ પ્રવર્તે છે. આજે આ ધરતીની ધૂળમાં કણેકણમાં અહિંસા અને જીવદયાના ઉચ્ચતમ સંસ્કારો ધરબાયેલા છે. જૈનધર્મની જીવદયાની આ ઉત્કૃષ્ટ ભાવનાની, ભાવિમાં માનવજાતિને ઇતિહાસ લખાશે ત્યારે સુવર્ણ અક્ષરે નોંધ લેવાશે. જ્ઞાનપ્રાપ્તિના કારણભૂત ગ્રંથો અને વિષયેની રચના કેવી રીતે કરી? અનંત જ્ઞાન આત્માને ઉજજ્વળ અને અદ્ભુત ગુણ છે. વીતરાગ પરમાત્માએ પ્રરૂપેલ અર્થપૂર્વકની દેશના સાંભળી, પરંપરાથી જાણી-સમજી, ચિંતન-મનન કરી, તે પછીના શ્રમણએ જીવવિજ્ઞાન, આત્માનું વિજ્ઞાન, કર્મનું વિજ્ઞાન, પુગલાદિનું વિજ્ઞાન, વિશ્વની રચના, જડ-ચેતન સ્વભાવનું નિરૂપણ સુંદર રીતે કરેલ છે. આવા ગ્રંથો પામર જીને સમજવાં પણ બહુ જ અઘરાં અને દુષ્કર છે, તે નિર્માણની વાત જ કડ્યાં રહી? માટે જ આ સર્વ ગ્રંથે વિશ્વ માટે આદરણીય બની શક્યા છે. આ ગ્રંથની પાછળ ખરેખર સાક્ષીભાવ જ છે. કર્તાભાવ ન હોવાથી જ અનેક દોષ-દૂષણથી રહિત છે. ગ્રંથ રચનાની એક આગવી પરંપરા જૈનસંઘમાં ચાલતી આવી છે. નાગૂર રાતે શિરિન I એ ન્યાયે આધાર વિના કાંઈ પણ ન લખવું-એ પરંપરાને જેને શ્રમણ બરાબર વળગી રહ્યા છે. તેથી જ આ સર્વ શ્રેથે આજે પણ ઠેર ઠેર વંચાઈ રહ્યા છે. અનેકાનેક ગ્રંથનું વાંચન-મનન કરીને ગ્રંથરચના કરવાનું કામ હજુ પણ ચાલુ જ છે. હિંદી ભાષામાં આવું નિર્માણકાર્ય પૂ. શ્રી આત્મારામજી મહારાજે છેલ્લી સદીમાં ખૂબ મોટા પાયા પર કર્યું. આ પછી છેલ્લે કર્મ સાહિત્યનું મોટા પ્રમાણમાં સંસ્કૃત ભાષામાં નવસર્જન કરવા-કરાવવાનું શ્રેય સિદ્ધાંતમહોદધિ પૂ. આ. શ્રી વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજ તથા તેઓશ્રીના સમુદાયને ફાળે જાય છે. શ્રમણ ભગવંતોએ મા સરસ્વતીની કૃપાથી ગ્રંથની રચના કરી તે અદ્ભુત છે. શ્રી અભયદેવસૂરિજીએ નવાંગી ટીકા, પડ્રદર્શનવેત્તા શ્રી હરીભદ્રસૂરિજીએ યોગ અને ન્યાયના સુંદર ગ્રંથ શ્રી હેમચંદ્રાચાર્યે વ્યાકરણ, છંદ, અલંકાર વગેરેનું વિપુલ સર્જન કર્યું. પ. ઉપાધ્યાયશ્રી યશોવિજયજીએ ન્યાયના ગ્રંથની રચના કરી. ઉપરાંત, તિષ, વૈદક વગેરે તમામ વિષયમાં જૈનમુનિઓનું ભારે મોટું પ્રદાન છે. ) જૈનધર્મની પ્રભાવના માટે રાજ્યાશ્રય વગેરે કેમ શક્ય બન્યા? રાજાઓને પ્રભાવિત કરી, જેનસધુઓએ પહેલું કામ રાજાઓને ધર્મ સમજાવવાનું કર્યું. સાધુએ સામેથી જઈને રાજ્યાશ્રિત બન્યા હોય એવું થયું નથી, પણ રાજાઓની પાત્રતા જોઈને, Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004596
Book TitleShasana Prabhavaka Shraman Bhagwanto Part 1
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1992
Total Pages722
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy