SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ શાસનપ્રભાવક દક્ષિણપથના જેન શ્રમણને ભેગા કરી ચેથી આગમવાચના કરી અને સર્વસંમત પાઠને પુસ્તકારૂઢ કર્યો. પાંચમી આગમવાચનાઃ આચાર્ય દેવર્ધિગણિ શ્રેમાશ્રમણે વલ્લભીમાં વીર સંવત ૯૮૦માં મોટું મુનિસંમેલન બેલાવી, એથી આગમવાચનાના પાઠોને તપાસી, એક ચક્કસ આગમપાડ તૈયાર કરી ૮૪ આગ લખ્યાં. તેમાંથી કાળપ્રભાવે ઘણું નાશ પામ્યું છે. છતાં જે બચ્યું છે તે શુદ્ધ જિનવાણી આપણા સુધી પહોંચી છે. ત્યારબાદ, પૂ. આ. શ્રી સાગાનંદસૂરિજી મહારાજનું આગમ સાહિત્યક્ષેત્રે ઘણું મોટું યોગદાન રહ્યું છે. પૂ. શ્રી હરિભદ્રસૂરિજીએ ૧૪૪૪ ગ્રંથની અદૂભુત રચના કરી. કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્યના સદુપદેશથી રાજા કુમારપાળે પિતાના રાજ્યમાં સંસ્કૃત પાઠશાળાઓ સ્થાપી અને ૭૦ લહિયાઓ બેસાડીને જ્ઞાનની સુંદર આરાધના કરી. કુમારપાળ, વસ્તુપાળ, પેથડશા વગેરેની ઉત્તમ ભક્તિને કારણે શ્રતના આદર્શ જેવાં જ્ઞાનમંદિરે આજે શાસનનું ઉજજવળ ભાવિ બની ગયાં છે ! પૂર્વાચાર્યોએ સંસ્કૃતમાં, પ્રાકૃતમાં વિશિષ્ટ રચનાઓ કરીને પોતાની વિદ્વત્તાનો પરિચય આપ્યું છે. તે સમયમાં જે તે ગચ્છના સાધુઓ વિપુલ પ્રમાણમાં સાહિત્યસર્જન પણ કરતા હતા. પરિણામે, આ જ્ઞાનભંડારથી શાસન અતિ સમૃદ્ધ બની શકયું. જિનધર્મની ગંગોત્રીના વિશાળ જ્ઞાનપ્રવાહને આપણું સુધી પહોંચાડવાનું ભગીરથ કાર્ય આ આત્માનંદી સંતએ જ કર્યું છે. શ્રમણ ભગવંત અને ઉપસર્ગોની ઝાંખી : ૨૫૦૦ વર્ષોને ઇતિહાસ એમ બોલે છે કે સિદ્ધાંત અને શાસનની રક્ષા ખાતર શુદ્ધા પ્રરૂપક ગુણવાળા આ શ્રમણ સંસ્થાના નાયકેએ ખૂબ ખૂબ વેઠયું છે. પ્રસંગે પ્રસંગે અનેક આંટીઘૂંટીમાંથી પસાર થવું પડયું છે. કાળબળની સામે પડકાર ફેંકીને શાસનની આન અને શાન વધારી છે. આજને સે ટચના સેના સામે અમૂલ્ય વારસો જાળવવામાં પ્રતિભાસંપન્ન સાધુઓની વાત શાસનના ઇતિહાસના પાને પાને જોવા મળે છે. અરે, અતિ દૂરની વાત તે દૂર રહી; સાવ નજીકના ભૂતકાળમાં જ ડોકિયું કરીએ તો, પૂ. આત્મારામજી મહારાજ, પૂ. કમલસૂરિજી મહારાજ, પૂ. સાગરજી મહારાજ, પૂ. દાનસૂરિજી મહારાજ, પૂ. નેમિસૂરિજી મહારાજ, પૂ. લબ્ધિસૂરિજી મહારાજ, પૂ પ્રેમસૂરિજી મહારાજ આદિ મહાપુરુએ આ છેલ્લી, વિક્રમની વીસમી સદીમાં શાસન રક્ષા ખાતર અત્યંત પુરુષાર્થો કર્યા જોઈ શકાશે. અહિંસા અને જીવદયા ક્ષેત્રે યોગદાન : અહિંસા અને જીવદયા એ તે જૈન સાધુઓના પ્રાણ ગણાય છે. અહિંસા એમની રગેરગમાં વ્યાપેલી હોય છે. રાજાએ તેઓના આવા સુંદર આચારથી પ્રભાવિત થતા અને અહિંસાના પ્રચારમાં પ્રવૃત્ત થતા. શ્રી હેમચંદ્રાચાર્યે મહારાજા કુમારમાળને પ્રતિબોધ પમાડીને અઢાર રાષ્ટ્રોમાં જીવદયાનું ચુસ્ત પાલન કરાવ્યું. આ સમયમાં ઘડાને પણ ગાળીને પાણી પિવડાવાતું. શ્રી હીરવિજયસૂરિજીએ અકબર બાદશાહને પ્રતિબોધ પમાડીને અહિંસાના આરાધક બનાવ્યા હતા એ ઇતિહાસ બહુ રોમાંચક છે. એ પછીના જૈનાચાર્યોએ પણ અહિંસાના પ્રચાર Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004596
Book TitleShasana Prabhavaka Shraman Bhagwanto Part 1
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1992
Total Pages722
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy