SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રમણભગવતા–૧ કેવળજ્ઞાન શું છે? ‘ કેવળ ' શબ્દ આત્માના અર્થમાં છે. અનેક જન્મેાના કવિપાકાને સમતા-ક્ષમાદિ સમજપૂર્વક ભાગવી લઈ તીવ્ર તપશ્ચર્યા અને અનેક ઉપસગેમાંને સહન કરીને ચરમ જન્મમાં કેવળજ્ઞાનની પ્રાપ્તિ થાય છે. જીવન ઉત્કૃષ્ટ કોટિના અનાસક્ત ભાવમાં આવતાં મેહકમ ના સથા નાશ થાય છે, જ્ઞાન આદિને રોકનારાં કર્મોનાં વાદળા ખસી જતાં આત્મામાં તેજસ્વી કેવળજ્ઞાનરૂપી સૂર્ય પ્રકાશિત થાય છે. પુણ્યશાળી આત્મા પરમાત્મા બની જાય છે અને વિશ્વનાં સર્વાં દ્રવ્યા, સ ક્ષેત્રે, સ કાળ અને સભાવામાં જાણનાર બની જાય છે. ઇતિહાસ નોંધે છે કે કર્મા, સંશયા, વાસનાઓનાં પરમાણુએનાં જાળાં ભેદીને, કર્માં ખપાવીને કેવળજ્ઞાન પામ્યા છે, સુખ અને દુઃખ એ કમનાં કારણ છે. પણ જેણે પ્રત્યેક કમ ભાગવી લીધાં છે, પરિપૂર્ણ કર્યા' અને મનને જીત્યું છે એને સુખ-દુઃખની કોઈ અસર ન થાય– અને તે સ્થિતિ એ જ કેવળજ્ઞાન. જ્ઞાનપ્રાપ્તિ અને તેના ફેલાવા માટે આ સ્વપ્નદ્રષ્ટાઓએ શા પ્રયત્નો કર્યો? ગુરુકુલવાસ એટલે ગુર્વાનામાં રહેવાનુ વ્રત. આના કારણે જ્ઞાનની પ્રાપ્તિ પણ મેાટા પ્રમાણમાં થતી અને તેના પ્રચાર મેટા પ્રમાણમાં થતા. ગુરુએ યેાગ્યતાને નજરમાં રાખીને જ ભણાવતા અને ગીતાને વિચરણ-વિહાર માટે સમયે સમયે આજ્ઞા આપતા રહેતા, જેને શિષ્યેા સહર્ષ શિરસાવદ્ય કરતા. પ્રાચીનકાળમાં વાચના આપીને જ્ઞાનને ફેલાવે! થતા. તેમાં શિષ્યાની એક માત્ર યેાગ્યતાને વિચારાતી. અધિકારીને જ તેની રુચિ અનુસાર જ્ઞાન અપાતું. ઉદાહરણ જોઇ એ તે, વાસ્વામી ત્રણ વર્ષના હતા ત્યારથી અગિયાર અંગ, તે પણ સાધ્વીના મુખથી સાંભળવા માત્રથી ગ્રહણ કરી લીધાં હતાં. પ્રથમ આગમવાચના : આચાર્ય શ્રી ભદ્રબાહુના સમયમાં પાટલીપુત્રમાં ઘણા શ્રમણા ભેગા થયા અને તેમાં પહેલી આગમવાચના થઇ. એ વખતે ૧૨ વર્ષોંના ભયંકર દુષ્કાળ પડેલે, તેથી ઘણા જ્ઞાનીએ સ્વર્ગવાસ પામ્યા હતા. જે હયાત હતા, તેમાંના પણ ઘણાને દુષ્કાળને કારણે વિસ્મરણ થવા પામ્યું હતું. તેશ્રી આ સ્થૂલિભદ્રસૂરિજીની અધ્યક્ષતામાં બધા શ્રમણાએ ભેગા થઈ વિસ્તૃત ખાર અંગ સંકલિત કર્યાં. બીજી આગમવાચના : સમ્રાટ સ'પ્રતિએ ઉજ્જૈનમાં આ સુહસ્તિસૂરિની નિશ્રામાં એક શ્રમણુસંમેલન કરી, નાનકડી આગમવાચના કરી, જેમાં ૧૧ અંગ અને ૧૦ પૂર્વાંના પાને વ્યવસ્થિત કર્યા. ત્રીજી આગમવાચના : ફરી બાર વર્ષના દુષ્કાળ પડતાં ઘણા ગણેા, કુલા અને વાચકવશેને વિચ્છેદ થઈ ગયા, તેથી સાડાનવ પૂર્વના જ્ઞાતા આચાર્ય રક્ષિતસૂરિજીએ સ અનુયાગાથી ગૂઢ એવાં આગમે અને ભવિષ્યના જીવાના વિચાર કરી, આગમેાને પૃથક પૃથક્ અનુયાગમાં વહેંચી નાખ્યા. ચેાથી આગમવાચના : આચાયસ્ક દિલસૂરિજીએ મથુરામાં ઉત્તરાપથના જૈન શ્રમણાને એકઠા કરી, વીર સંવત ૮૩૦ થી ૮૪૦ સુધીમાં ચેાથી આગમવાચના કરી હતી અને સર્વાનુમતે તૈયાર થયેલ પાડને પુસ્તક રૂપે લખેલ હતા. તે જ સમયે આચાય નાગાર્જુનસૂરિજીએ વલ્લભીમાં શ્ર. રે Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004596
Book TitleShasana Prabhavaka Shraman Bhagwanto Part 1
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1992
Total Pages722
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy