SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ શાસનપ્રભાવક શ્રમણે પ્રાચીન સમયમાં ક્યાં-કેવી રીતે વાત કરતા? પ્રાચીન સમયમાં શ્રમણે નિર્દોષ ભૂમિની ગવેષણ અર્થે વસ્તી વગરનાં ઉદ્યાનમાં કે નગર કે ગામથી બહુધા દૂર જ રહેતા. નગરનું વાતાવરણ સમાધિ કે ધ્યાન માટે અનુકૂળ નહિ રહેતું હોય. કર્મની નિજ વિપુલ પ્રમાણમાં થાય અને નવા કમને બંધ ઓછો થાય તે રીતે જ નગરની બહાર વાસ કરતા. પરિણામે, જનસંપર્ક ઓછો થવાથી સ્વાધ્યાય પ્રવૃત્તિ વિપુલ પ્રમાણમાં થઈ શકતી. એ સમયે ગામ બહાર ઉદ્યાને આદિની વ્યવસ્થા રહેતી. એમાં સાધુસંતે ઉતારે કરતા. વળી, સાધુસંતે સેંકડોની સંખ્યામાં વિચરતા. તેથી આવાં ઉદ્યાનમાં રહેવાથી સંયમધર્મ પણ બરાબર પળાતે. ગામમાંથી જિજ્ઞાસુઓ ઉદ્યાન સુધી આવીને ધર્મબોધ મેળવતા. શ્રમણ સંસ્થા : ત્રણ વર્ગો જેનશાસન મનહર ઉદ્યાન છે. આ ઉદ્યાનમાં અનેક શ્રમણપુ ખીલ્યાં, પાંગર્યા અને જગતને વિતરાગને માર્ગ બતાવ્યું. જિનશાસનના ઉદ્યાનમાં ખીલેલાં અનેક પુણ્યશાળી શ્રમણપુએ આ બાગને નવપલ્લવિત કર્યો. પિતાના અંતરના તેજ અને બળથી અંધારાં ઉલેચીને દિવ્યાતિ પ્રગટાવી. આ શ્રમણ સંસ્થામાં શાશ્વત અને ચૌદ પૂર્વના સાર એવા શ્રી નમસ્કાર મહામંત્રના તૃતીયપદે મહત્ત્વનું સ્થાન પામેલા તથા ત્રણ તત્ત્વમાંના ગુરુતત્વના અગ્રસ્થાને બિરાજનારા એવા આચાર્યપદની જેનશાસનમાં અનેરી મહત્તા છે. આગમશાસ્ત્રમાં આચાર્યને તીર્થકર તુલ્ય ગણવાયા છે. તીર્થકરેએ પ્રરૂપેલા માર્ગને લાંબા કાળ સુધી સુવિશુદ્ધ પ્રરૂપણા વડે અનેક ભવ્યાત્માઓને યથાવસ્થિતપણે પિછાણુ કરાવનારા આચાર્યદેવે છે. આજના સંક્રાંતિ અને વિષમ કાળમાં પણ શાસનની ધુરાને વહન કરનારા આચાર્યદેવે આપણા સૌના પરમ ઉપકારી રહ્યા છે. જેનશાસનમાં આચાર્યને રાજા ગણવામાં આવે છે. જે ષદર્શનના જ્ઞાતા અને શાસનના ઘેરી પ્રભાવક હોય, જેમની પ્રતિભા અત્યંત ઉજવળ હોય તેવી યોગ્યતા મુજબના સાધુઓને દીર્ઘદ્રષ્ટા સંઘની વિનંતીથી આચાર્ય પિતાની પાટે યોગ્ય મુનિને આચાર્યપદે સ્થાપીને તેઓમાં રહેલી શક્તિને સત્કારે છે. મેગ્યતાને સૂચવનારા શ્રમણસંઘના ત્રણ ભેદ છે : આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ. આચાર્યો મુખ્યત્વે ધર્મદેશનાનું અને પરોપકારનું કર્તવ્ય અદા કરે. ઉપાધ્યાયે સાધુઓ સમક્ષ અધ્યયનનું કાર્ય સંભાળે શિષ્યને વિદ્યાદાન આપનારા, અગ્યને ગ્ય કરનારા સાયણ, વાયણ ચોયણું અને પડીઓયણના ક્રમથી શિષ્યને વિકાસ કરે, ગચ્છના તમામ સાધુઓને ભણાવવાની જવાબદારી ઉપાધ્યાય ભગવંતની હોય છે. જ્યારે ત્રીજો વર્ગ સાધુઓને છે. સાધના કરે તે સાધુ કહે છે કે, સાધુ બનવું હજી સહેલું છે, પણ સાધુ બની સાચું સાધુપણું જીવવું એ ઘણું અઘરું છે. મેક્ષમાર્ગે આગળ વધવા સાધકને પણ સહાયક આ સાધુઓ બને છે. આવી વ્યવસ્થા હોવાથી ધર્મ-ઉત્થાનનું કાર્ય સહેજે વેગીલું બને છે. Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004596
Book TitleShasana Prabhavaka Shraman Bhagwanto Part 1
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1992
Total Pages722
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy