SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રમણભગવંતો૧ વિધવત્સલ પ્રભુએ પ્રસારેલ ધર્મવારે આ શ્રમણોએ પિતાના જીવનમાં આત્મસાત્ કર્યો. કડક આચારપાલન દ્વારા અને ભીમ જ્ઞાનસ્વાધ્યાય દ્વારા એ વારસાને વૃદ્ધિગત કર્યો. ગ્રામાનુગ્રામ વિહાર કરીને ધર્મની-માનવતાની જાતને જલતી રાખવા ઉપદેશ આપ્યું અને જેવી જેમની શક્તિ તે મુજબને વાસે સાચવ્યું. જ્ઞાનમાં, તપમાં, જપમાં, ક્રિયાઓના ઉદ્ધારક તરીકે, વાદવિજેતા તરીકે, રાજા-મહારાજાઓના પ્રતિબંધક તરીકે, અમારિ-પ્રવર્તનમાં, જીવદયાનાં કાર્યોમાં, ત્યાગ અને વૈરાગ્યના ઉપદેશક તરીકે, તકમાં, પ્રવીણતામાં વ્રતની રક્ષા કાજે, જ્ઞાનની ઉપાસના દ્વારા જ્ઞાનને જાણી-સમજી-પચાવીને બીજાને સમજાવી, સૌને ધર્મના રાગી કરી-કરાવી જિનમંદિર, ઉપાશ્રયે, જ્ઞાનભંડાર અને ક્રિયાકર્મ દ્વારા એ વારસાને પ્રસાર્યો. ભગવાનના અનુપમ શાસનમાં દરેક ગચ્છના શ્રમણ ભગવંતે પિતાની જીવનસાધના તપના તેજથી, જ્ઞાનથી, દયાનથી ભાવી રહ્યા છે. સાધુઓ માટે પ્રભુએ રોજ એકાસણાને તપ અને જ્ઞાનાર્જન સ્વાધ્યાય માટે ઓછામાં ઓછા પાંચ પ્રહર, એટલે કે પંદર કલાક કાઢવાનું સ્પષ્ટ વિધાન કરેલું હોવાથી આ મૂલ્યવાન વારસાની સાચવણું અને વિસ્તારને ડીક ઠીક રીતે વેગ મળે. નમ્રતાના આ સૂત્રધારોએ શિષ્ય પરિવાર કેવી રીતે વિસ્તાર્યો અને જ્ઞાનદાન શી રીતે કર્યું? શ્રમનું જીવન જ એવું ત્યાગમય રહ્યું કે તેમના જીવનના દર્શન માત્રથી જ ગ્ય જેમાં વૈરાગ્યની વૃદ્ધિ થાય અને આવા જીવનની સાથે સુંદર ઉપદેશને સમાગમ થાય, પછી સાધુ-સંસ્થાને વિસ્તરતાં શી વાર લાગે ? વળી એ કાળનું વાતાવરણ એવું સુંદર હતું કે યોગ્યતાથી ભરપુર છોને માત્ર થોડી પ્રેરણાની જ જરૂર રહેતી. જ્ઞાનદાન માટે એ વખતે ગુરુશિષ્ય પરંપરા હતી. ગુરુ મેંથી પાઠ આપે અને શિષ્ય તેને વિનયપૂર્વક શ્રવણ દ્વારા ગ્રહણ કરે તે ગ્રહણશિણા; આસેવન શિક્ષા એટલે આચારસંબંધી શિક્ષા; તેથી આ રીતે વિધિ અને વિનયપૂર્વક થતું જ્ઞાનદાન બહુ જ ઉપકારક બની જતું. વળી સંયમી આત્માઓને સાથે રાખી, યોગ્ય કેળવણી દ્વારા સંયમમાર્ગની આરાધના અને ગુણપરીક્ષા કરીને પછી યોગ્ય જણાય તે જ દિક્ષા અપાતી. ગુરુભગવંતોએ ક્યારેક તો પિતાના જીવનના અમૂલ્ય સમયનો ભેગ આપીને પણ અભુત પ્રદાન કર્યું. આ બાબતનું એક દષ્ટાંત બસ થશે. જગતના ચોકમાં જેનસંસ્કૃતિનો વિજ લહેરાવનાર પૂ. પં. શ્રી યશોવિજયજી મહારાજને તૈયાર કરવામાં તેઓશ્રીના ગુરુમહારાજ શ્રી નયવિજયજી મહારાજને ફાળો અતિ મૂલ્યવાન ગણી શકાય. વિદ્યાભ્યાસ માટે તેઓશ્રી ગુજરાતથી કાશી પહોંચ્યા. કેટલાક સમય ત્યાં સ્થિરતા કરી, શાસન અને શિષ્યના કલ્યાણ માટે આ ભારે પુરુષાર્થ કર્યો. આમ, શિષ્ય પરિવારને વૈરાગ્ય સહ બોધ તરફ વાળી, સ્થિર કરી, શિષ્યહિતની ભાવના સાથે શિષ્ય પરિવાર વધારવામાં આવતા. Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004596
Book TitleShasana Prabhavaka Shraman Bhagwanto Part 1
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1992
Total Pages722
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy