SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ શાસનપ્રભાવક આમ, આ ગ્રંથના આજનમાં અનેક પૂજ્યવરેને પરોક્ષ અને પ્રત્યક્ષ સહકાર સાંપડ્યો છે, પ્રેરણા મળી છે, આશીર્વાદ મળ્યા છે, જેને સહર્ષ સ્વીકાર કરતાં હદય ગગદ બની જાય છે ! સૌને અંતઃકરણપૂર્વક વંદના કરું છું ! ગ્રંથ સંદર્ભે કંઈક : વિનમ્રતાપૂર્વક, આ સાથે પૂર્વાચાર્યોનાં જીવનચરિત્ર અંગેની વિગતો આપી છે. તે માટે આધારગ્રંથ તરીકે પરિશિષ્ટ પર્વ, પ્રભાવક ચરિત્ર, પ્રબંધકેશ, જંબુસ્વામીચરિત્ર તેમ જ તે ગ્રંથના આધારે તેરાપંથના સાધ્વીશ્રી સંઘમિત્રાએ તૈયાર કરેલ “જૈનધર્મ કમાવ સાવાર્થ” ગ્રંથના આધારે તથા પૂજ્ય ત્રિપુટી મહારાજ દ્વારા લખાયેલા “જૈન પરંપરાનો ઈતિહાસ અને અન્ય કેટલાક ગ્રંથના આધારે આ ચરિત્ર તૈયાર કરવામાં આવ્યાં છે. તે માટે અમે એ સર્વ પૂનાં અત્યંત વાણી છીએ. ઉપરાંત, શ્રી જૈન સાહિત્ય વિકાસ મંડળ તરફથી પ્રકાશિત થયેલ પંચપરમેષ્ઠિ ધ્યાનમાળા વગેરે ગ્રંથોમાંથી જે જે ઉદ્ધરણા કરવામાં આવ્યાં છે તે માટે તેઓને પણ ઋણસ્વીકાર કરીએ છીએ. આ તકે સૌ પ્રત્યે કૃતજ્ઞભાવ વ્યક્ત કરું છું. આ અદ્વિતીય આવૃત્તિના ભગીરથ કાર્યમાં વર્તમાન જૈનધર્મપ્રવાહના જાણકાર અને મારા પરમ મિત્ર શ્રી વિનોદરાય ગુલાબચંદ શેઠ પણ ગ્રંથને ઉપયોગી એવી સંદર્ભમાહિતી મેળવી આપીને ઘણી રીતે સહાયભૂત બન્યા છે. એમનો પણ અત્યંત અણું છું. સુંદર છાપકામ સમયસર પૂરું કરી આપવામાં કહાન મુદ્રણાલયના માલિક શ્રી જ્ઞાનચંદજી તથા પ્રફરીડિંગના કાર્યમાં પરિશ્રમ લેનાર શ્રી હસમુખભાઈ મહેતાએ આપેલી સેવાની સહર્ષ નેંધ લઈ એ છીએ. ઊંચામાં ઊંચી વિચારણું અને આચારનો સમન્વય : જેનદર્શનમાં ઉદારતા અને સમદર્શિતા છે. અને અહિંસા જેવી સૂકમતમ વિચારણા પણ છે. આચારશુદ્ધિની જેવી ઊંડી વિચારણા આચારાંગસૂત્રમાં છે તેવી અન્યત્ર ક્યાં છે? શું જમવું? કેમ બેસવું? કેમ બોલવું? કેમ વંદના કરવી ? આહારપાણી વહેરવા જતાં કે જળચર, વાયુચર કે વનસ્પતિજગતના નાનામાં નાના જીવની પણ હિંસા ન થાય, રખે કોઈ દુભાય નહિ, રખે કેઈન અપરાધ ન થઈ જાય-વગેરે બાબતોની કેવી ચીવટ જેનદર્શન રાખી છે! માત્ર સાધુસાધ્વીઓ જ ધર્માચાર સે અને ગૃહસ્થીઓને છૂટછાટ એવું અત્રે નથી. ચતુર્વિધ સંઘના ચારે વિભાગ માટે માત્ર વિચારની ચોક્કસ મર્યાદાઓ જ નહીં, પણ રાજબજના જીવનના આચારના ચક્કસ નીતિનિયમે આ ગ્રંથમાં છે. માત્ર જીવહિંસા કે કરણની બે-ત્રણ વિચારધારાઓ જ આ દર્શનમાં નથી, પણ શુદ્ધ વૈજ્ઞાનિક કેટિના તર્ક અને યુક્તિની સરાણે ચડાવીને પરખેલા સત્યાન્વેષણની ગહન મીમાંસા જૈનદર્શને આપી છે. વિચારમાં સ્વાવાદ, ઉચ્ચારમાં સપ્તભંગી, આચારમાં આજ્ઞાધીનતાએ જૈનશાસનની અપ્રતિમ દેણ છે. શ્રમણ ભગવંતોએ જૈનધર્મને વાર કેવી રીતે સાચવ્યો? મહાવીર પરમાત્માએ આચારમાં અહિંસા અને વિચારમાં અનેકાંતને વારસો આપે. Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004596
Book TitleShasana Prabhavaka Shraman Bhagwanto Part 1
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1992
Total Pages722
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy