SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રમણભગવંતા-૧ ગ્રંથ મૂળ યાજનાના પ્રેરક પૂ. આ. શ્રી વિજયલબ્ધિસૂરિજી મ૰ સા॰ હતા; પણ પછી સુરેન્દ્રનગર દેરાસરની એકસે વની ઉજવણી પ્રસંગે પ. પૂ. આ. શ્રી વિજયચ દ્રોદયસૂરિજી મ. સા. તથા પૂ. પં. શ્રી દાનવિજયજી મ. સા. આદિની વિશેષ પ્રેરણા પ્રાપ્ત થઈ. દોમ દેશમ સુખ સાહ્યબીને લાત મારી સાધુજીવન અંગીકાર કરનારા શ્રમણાએ આજ સુધીમાં અદ્ભુત તપશ્ચર્યા દ્વારા અને જિનેન્દ્રભક્તિ-મહાત્સવામાં જ્યાં જ્યાં અનુગ્રહના માંગલ મેઘ વરસાવ્યા છે, જ્યાં જ્યાં પુનિત પગલાં કરી પોતાના અંતરના તેજથી ઠેર ઠેર જ્ઞાનનાં અજવાળાં પાથર્યાં છે, એ સઘળી સુખદ સ્મૃતિ સમયે સમયે ગ્રંથસ્થ થવી જ જોઇ એ. શ્રમણેાની પદરજથી જે જે ભૂમિના અસંખ્ય જીવેાને શાતા મળી છે તે બધી ઘટનાઓના ઐતિહાસિક આધારે ભાવિ પેઢીનાં સાચાં ઘરેણાં બની રહેશે, એવા ભક્તિભાવથી પ્રેરાઇ ને ગુણગ્રાહી આત્માના ગુણુવૈભવનું મંગલ પ્રદાન સુધારાવધારા સાથે સમાજ સમક્ષ મૂકતા રહીને ગુરુવર્યા પ્રત્યેના અગણિત ઋણુભાવને વ્યક્ત કરવાના આ પ્રકાશનના વિનમ્ર હેતુ શ્રમણાની પ્રભાથી ઝળહળતાં અને આવનારી સઢીમાં દુર્લભ થઈ પડનારા આ વિરલ વિભૂતિષને આપની સમક્ષ જ્ઞાનકુંભ રૂપે ધરીએ છીએ. સંભવ છે કે આમાં સર્વાંગ્રાહી ચિત્ર ન આલેખાયુ` હાય. પરંતુ ભવિષ્યમાં આ વિશે વ્યવસ્થિત અને વિશાળ કાર્ય હાથ ધરવામાં આવશે ત્યારે પણ આ ગ્રંથને નજર સમક્ષ રાખ્યા વિના ચાલશે નહિ. શ્રે॰ મૂ॰ સંપ્રદાયના વિવિધ ગચ્છના ઇતિહાસને એક સૂત્રમાં ગૂંથીને પ્રગટ કરવાનું આ સંપાદનનું મુખ્ય લક્ષ છે. સ`ઘમાં એકતા જળવાય એ મુખ્ય દૃષ્ટિબિંદુ રહ્યું છે. સાંસ્કૃતિના દીપસ્તંભ સમે। આ અભિવાદનગ્રંથ જૈનશાસનનુ સદૈવ સંભારણું બની રહેા તેવી સેવાના નમ્ર સ`કલ્પ કરતાં હું મારી જાતને ધન્ય ધન્ય માનું છું. ઈ. સ. ૧૯૬૪ પહેલાંના મારા પત્રકારિત્વને શેખ-રુચિ આ ગેઝેટીયર કક્ષાનાં સમૃદ્ધ પ્રકાશના તૈયાર કરવામાં ખૂબ જ ઉપયોગી નીવડયો. તેમ જ અચપણમાં સેવેલી આકાંક્ષાઓને અત્રે અક્ષરદેહ મળ્યા છે તેને મારું સદ્ભાગ્ય સમજું છું. પૂજ્ય ગુરૂવર્યાંના આશીર્વાદ અને પ્રેરણા : આ અભિવાદનગ્રંથના આયેાજનમાં માંગલ આશીર્વાદ દ્વારા ભારે મેટું બળ અને પ્રેરણા આપનારા, જિનશાસનના પરમ પ્રભાવક જ્યાતિષાચાય પૂ. આ. શ્રી વિજયલબ્ધિસૂરિજી મહારાજ, પૂ. આ. શ્રી વિજયચંદ્રોદયસૂરિજી મહારાજ, સાહિત્યકલારત્ન પૂ. આ. શ્રી વિજયયશેદેવસૂરિજી મહારાજ, પૂ. આ. શ્રી હેમચંદ્રસૂરિજી મહારાજ, આદિના આશીર્વાદ મળ્યા. પૂ. આ. શ્રી વિજયજયાનંદસૂરિજી મહારાજ, પૂ. આ. શ્રી વિજયસુદનસૂરિજી મહારાજ, પૂ. આ. શ્રી વિજયમિત્રાન સૂરિજી મહારાજ, પૂ. આ. શ્રી કલાપ્રભસાગરસૂરિજી મહારાજ, પૂ. આ. શ્રી પદ્મસાગરસૂરિજી મહારાજ તથા પૂ. આ. શ્રી મનોહરકીતિ સાગરસૂરિજી મહારાજની પ્રેમાળ લાગણીનુ પ્રોત્સાહન પ્રાપ્ત થયા કર્યુ છે. પૂ. પં. શ્રી પ્રદ્યુમ્નવિજયજી મહારાજ તથા પૂ. પ. શ્રી અશેકસાગરજી મહારાજનું સતત માર્ગદર્શન મળતું રહ્યું, જેને અમારુ સદ્ભાગ્ય સમજીએ છીએ. .. Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004596
Book TitleShasana Prabhavaka Shraman Bhagwanto Part 1
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1992
Total Pages722
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy