SearchBrowseAboutContactDonate
Page Preview
Page 11
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રેય આચાય ભગવાને ફાળે જાય છે. કહ્યું છે કે “ તિથયા સમોસૂરિ ( આયરિયા )” આચાય તીર્થંકર સમાન છે. શાસનની સપૂર્ણ જવાબદારી આચાર્ય ભગવંતા પર છે. આજ સુધી અનેક અવાતા આવવા છતાં જૈનધર્મની ધજા અવિરત ક્રકી રહી છે, તેને ફાળે આચાય ભગવાને છે. જૈન શાસનમાં એકથી એક ચડિયાતા પૂ. આચાય ભગવાએ અણિશુદ્ધ ચારિત્રપાલન તથા પોતાની જ્ઞાનશક્તિ દ્વારા શાસનપ્રભાવના કરી શાસન પર આવતા આક્રમણેાને પણ ટાળેલ છે. ભક્તામર સ્તોત્રની રચના દ્વારા પરમાત્મ ભક્તિનુ ફળ દર્શાવેલ છે. ઉવસગ્ગહર તેાત્ર તથા લઘુશાંતિ જેવા સ્તૂત્રની રચના કરીને બ્યતરાદિ દેવાના ઉપસને હટાવી સંઘમાં કાયમને માટે શાન્તિની સ્થાપના કરનારા પણ પૂ. આચાર્ય ભગવંતા જ હતા. નમસ્કાર મહામંત્રના ત્રીજા પદે બિરાજમાન પૂ. આચાર્યાં ભગવંત શ્રી હેમચંદ્રાચાય મહારાજકલિકાલસર્વજ્ઞ તરીકે પૂજાયેલ છે. તેમના જ્ઞાનાદિથી તેમણે કુમારપાળ મહારાજાને પ્રતિમાધી જિનમ ંદિરેથી આ પૃથ્વિતલને વિભૂષિત કરેલ અને અારિ પડહ વજડાવીને ગુર દેશમાંથી વ્યસનાને તિલાંજલી અપાવેલ. પૂ. આ. શ્રી હરીભદ્રસૂરી મ. સા.એ ૧૪૪૪ ગ્રંથાની રચના કરી જૈન સંઘને જ્ઞાનના ભંડાર અર્પણ કરેલ છે. પૂ. આ. શ્રી સિદ્ધસેન દિવાકરસૂરિ વિક્રમ રાજાને પ્રતિબેાધીને મહાન શાસનપ્રભાવક થયા. પેાતાની કવિત્વ શક્તિ દ્વારા શિવલી’ગમાંથી પાર્શ્વનાથ ભગવાનને પ્રગટ કર્યા. પૂ. આ. હીરસૂરી મ. સાહેબે શાસનની શાન વધારી, અકબર આદશાહને પ્રતિઐાધીને જૈનધમ પ્રત્યે આર્કિષત કરી અસર પડહુ વજડાવી. ઉપાધ્યાયજી શ્રી યશેાવિજયજી મહારાજે અનેક ઉપસગેમાં સહન કરી, જ્ઞાનના ધેાધ વહાવી ન્યાય વગેરે ગ્રંથેાની રચના કરી. અનેક વાદોમાં વિજેતા બની શાસનની શાન વધારી. ન્યાય, વ્યાકરણ, સાહિત્ય, છંદ, જ્યાતિષ, વૈદક, રાજનીતિ, યોગ વગેરે વિવિધ વિષયાનાં પ્રદાન ઉપરાંત ગ્રામાનુગ્રામ વિચરીને નિષ્કામભાવે ધર્મોપદેશ ઈ ને, શુદ્ધ આચાર-વિચારનું પાલન કરીને, રાજા–રક અનેક લોકોને પ્રતિધી ધર્માંવાસીત કરી ઉપકાર કર્યાં છે. સ્ત્રી સમાજના ઉદ્ધારમાં પણ શ્રમણી સમુદાયના ફાળા એટલા જ નોંધાયેલા છે. આમ, જૈનશાસનના સેાનેરી ઇતિહાસ પર દૃષ્ટિપાત કરતાં ખ્યાલ આવે છે કે આ કુળ અને આ દેશને સાર્થક કરનારા અનેક સંતરત્ન જ્ઞાનાવલ પ્રકાશથી શાસનને અનેાખી રિદ્ધિ-સિદ્ધિ, સમૃદ્ધિથી ાભાવી ગયા છે. જિનશાસનને ટકાવી ધર્મધ્વજ ફરકાવવામાં આપણા શ્રમણભગવંતોના પુરુષાર્થ અમૂલ્ય છે. આવા આ ગૌરવવતા ઇતિહાસનું ભવ્ય દર્શન સૌ કોઈને પ્રાપ્ત અને તે માટે જ આ ગ્રંથનું સર્જન થયું. અને તેના સર્જક-સાહિત્યકલાના પ્રેમી, પુરુષાની મૂર્તિ જેવા ભાઈશ્રી નંદલાલભાઈ દેવલુકે જૈન શ્રીસંધમાં કોઈ એ ન આપ્યું હોય એવું નવતર નજરાણું જૈન સાહિત્યક્ષેત્રે અપણુ કયુ છે. એ નજરાણું આપણે સહુ અંતરના ઊંડા આશીર્વાદ અને અભિનંદન આપવા સાથે સહર્ષ સ્વીકારીએ અને વધાવીએ એ જ શુભાભિલાષા. —વિજયલબ્ધિસૂરિ વિ. સ. ૨૦૪૮, આસા સુદ ૧, રિવવાર. કલેાલ ( ગુજરાત ) Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004596
Book TitleShasana Prabhavaka Shraman Bhagwanto Part 1
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1992
Total Pages722
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy