SearchBrowseAboutContactDonate
Page Preview
Page 12
Loading...
Download File
Download File
Page Text
________________ અમારું પરમ સદ્ભાગ્ય ઉત્તર ગુજરાતનું પ્રવેશદ્વાર એવું કલેલ નગર ઔદ્યોગિક શહેર છે. અહીં એક લાખની વસતી છે. જેનાં ૮૦૦ ઘર છે, જેમાં ૮૫ વર્ષ પહેલાં જ્યાં વે. મૂર્તિપૂજકનું એક જ ઘર હતું ત્યાં હાલ દેરાવાસીનાં લગભગ ૨૫૦ ઘર છે. શેઠ જમનાભાઈ ભગુભાઈ અને શેઠ મનસુખલાલભાઈ હસ્તક કલેલમાં બંધાયેલ શ્રી ચિંતામણિ પાર્શ્વનાથનું જિનાલય, જેની પ્રતિષ્ઠા સં. ૧૯૬૩ના મહા સુદ પાંચમના પૂજ્ય આચાર્યશ્રી વિજયનેમિસૂરીશ્વરજીના હાથે થઈ હતી. અહીં ધર્મશાળા અને આયંબિલભવન પણ છે. શ્રીસંઘમાં ચઢતાં પરિણામે સારી એવી ધર્મભાવના અને ઉદારતા જોવા મળે છે. કલેલથી શેરીસા તીર્થ માત્ર ચાર માઈલ છે. કલેલથી પશ્ચિમ બાજુ કડી, ભેંયણ, રાંતેજ, બહુચરાજી, શંખલપુર આદિ તીર્થસ્થળો આવેલા છે. આ ગામમાં ઉપાશ્રયે, જ્ઞાનશાળા અને ગુરુમંદિરો પણ અનેક સંખ્યામાં આવેલાં છે. યાત્રા કરવા જેવાં આ બધા ગામે છે. નમસ્કાર મહામંત્રના ત્રીજા પદે રહેલા પૂ. આચાર્ય ભગવંતે વખતેવખત આ ક્ષેત્રમાં પધાર્યા છે, અને આ ભૂમિને પાવન કરતા રહ્યાં છે. ચિરસ્મરણીય યાદગીરી અમારા શ્રી સંઘના પરમ પુણ્યદયે અમારી આગ્રહભરી વિનંતીને સ્વીકાર કરીને વર્ધમાન તપ ઉપદેશક, સચ્ચારિત્ર પ્રભાવક પ. પૂ. સ્વ. આચાર્યદેવશ્રી ૧૦૦૮ વિજયભક્તિસૂરીશ્વરજી મ. સાઇના પટ્ટાલંકાર, શ્રી ૧૦૮ પાર્શ્વનાથ મહાપ્રાસાદના પ્રેરક, ગચ્છાધિપતિ પ્રશાંતમૂતિ આચાર્યદેવશ્રી વિજયપ્રેમસૂરીશ્વરજી મહારાજ સાહેબની આજ્ઞાથી સૌમ્યમૂતિ અને શાસનદીપક તથા તિવિંદ પ. પૂ. આ. શ્રી વિજયલબ્ધિસૂરીશ્વરજી મ. સા. તથા તપસ્વી પૂ. મુનિશ્રી વિમલભદ્રવિજયજી મ. સા. તથા પૂ. મુનિશ્રી વારિણવિજયજી મ. સા. વિ. સં. ૨૦૪૮માં ચાતુર્માસ પ્રવેશ થયું છે. તેઓશ્રીનાં પ્રભાવિત પાવન પગલાંના પુન્ય પ્રભાવે શ્રીસંઘમાં સર્વત્ર આનંદ મંગલ વતી રહ્યો છે. તેમ જ અનેકવિધ ધર્મારાધના તથા તપશ્ચર્યાની રંગહેલી અખંડ વહી રહી છે. અપ્રતિમ પ્રભાવશાળી જ્યોતિવિદ પ. પૂ. આ.દેવશ્રી વિજયલબ્ધિસૂરીશ્વરજી મ. સા. ને ૬૦મો જન્મદિવસ આ સુદિ ૬ ને ગુરુવાર તા. ૧-૧૦-૯૨ના હેય સોનામાં સુગધ રૂપે આ પ્રસંગ પણ ઉજવવાને અમને લાભ પ્રાપ્ત થયે. અનેકવિધ અનુષ્ઠાન, મહાપૂજને સાથે આયોજિત આ મહોત્સવ અંતર્ગત તા. ૬-૧૦-૯૦ના દશેરાના શુભ દિવસે એક વિશિષ્ઠ કાર્યક્રમ પ. પૂ. આ. શ્રી વિજયલબ્ધિસૂરીશ્વરજી મ. સા.ની પ્રેરક નિશ્રામાં “શાસન પ્રભાવક શ્રમણભગવંતે ” ગ્રંથની દ્વિતીય આવૃત્તિના વિમોચન પ્રસંગનું આયોજન કરવાને પણ અમને લાભ મળે, તે અમારા માટે ઘણું જ ગૌરવ અને આનંદનો વિષય છે, અને અમારું આ પરમ સભાગ્ય છે. શેઠ શાંતિલાલ પૂનમચંદ શાહ પ્રમુખ : શ્રી કલેલ . મૂ. જૈન સંઘ-કલેલ Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004596
Book TitleShasana Prabhavaka Shraman Bhagwanto Part 1
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1992
Total Pages722
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy