SearchBrowseAboutContactDonate
Page Preview
Page 10
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રાસ્તાવિક નમો હિન્દુસ્ત પ્રાચીન પરંપરા એ એક આધ્યાત્મિક સાંકળ છે. જેમ સાંકળ ખેંચવાથી ગમે તેવા અકસ્માત કે નુકશાનને નિવારી શકાય છે તેમ સંસારરૂપી કાવાદાવાના કાદવમાંથી ઉગરવા માટે પરંપરારૂપી સાંકળ જ ચગ્ય છે. આપણે જે પરંપરારૂપી સાંકળની વાત કરી રહ્યા છીએ તે છે જેને સંસ્કૃતિમાં શ્રમણોની પરંપરા, ત્યાગીઓની યશોગાથા અને શાસન પ્રભાવકેની ધર્મપ્રભાવના. વર્તમાનના વિષમકાળમાં વૈભવી રંગરાગથી રંગાયેલે પશ્ચિમને વિષમય પવન આપણું આર્યસંસ્કૃતિ સામે જબરજસ્ત પડકારરૂપ બનીને ઊભે છે. રોજિંદી ઘટનાઓ જેવી કે હિંસાચેરી–અત્યાચાર–પાપાચાર–ચારી-જૂઠ વગેરેની બદબૂઓએ આપણું આર્યસંસ્કૃતિના પવિત્ર વાતાવરણને કલુષિત કરી મૂક્યું છે. ભૌતિક પ્રલેભને, સુખસગવડોએ સમાજજીવનના પાયાના મૂલ્યને હચમચાવી દીધા છે. સમયના આ પ્રચંડકાય ઘસમસતા પૂર સામે જે કઈ સશકત તારક ચીજ હોય તે તે છે જેનધર્મ–જેન આગમ–જેનપ્રતિમા અને જૈનસંસ્કૃતિ. વિશ્વમાં જે દષ્ટિ નાખવામાં આવે તે જૈનધર્મનું, જેને સંસ્કૃતિનું, જેનેના ત્યાગનું વિશ્વના ઈતિહાસમાં ઉચ્ચ સ્થાન છે. તે માટે જ ભારતના અને ભારત બહારના દેશોના કેટલાય મહાન વિદ્વાને, તત્વજ્ઞાની મહાપુરુષે જૈનધર્મના સિદ્ધાંતને પિતાની બુદ્ધિના સરાણે ચડાવી પિકારી પિકારીને કહે છે કે જૈન ધર્મ ઘણે પ્રાચીન, બુદ્ધિગમ્ય અને આત્મમબળીઓને છે. જેનધર્મના સિદ્ધાંતને અપનાવવા કે પાળવા માટે આત્મમબળ એ મુખ્ય ચીજ છે. જૈનધર્મના પ્રરૂપક વિતરાગ પરમાત્મા જ્યારે ઘાતકર્મનો ક્ષય કરીને, કેવળજ્ઞાન પ્રાપ્ત કરીને, તીર્થકર બને છે ત્યારે સૌ પ્રથમ સાધુ-સાધ્વી-શ્રાવક-શ્રાવિકારૂપી ચતુર્વિધ સંઘની સ્થાપના કરે છે. તે ચતુવિધ સંઘ ઉપર જ આ જેનશાસન ટકી રહ્યું છે. તેમાં શ્રમણ સમુદાયની મુખ્યતા રહેલી છે. નમસ્કારમંત્ર એ ચૌદપૂર્વને સાર છે. નમસ્કાર મહામંત્રમાં પંચ પરમેષ્ઠિ રહેલા છે, તેમાં પણ શમણુધર્મની મહત્તા બતાવી છે. તીર્થકર ભગવંતે પણ પહેલા સાધુપદે હોય છે, તેમ જ મેક્ષમાં પ્રવેશ માટે પણ ચારિત્રની આવશ્યકતા દર્શાવેલ છે. આ સર્વ પાસા વિચારતાં શ્રમણધર્મની શ્રેષ્ઠતા ઘણી વધી જાય છે. વર્તમાનકાળમાં તીર્થકર મળ્યા નથી પરંતુ તેમની પાટ પરંપરાએ સ્થપાયેલ શ્રી ગણધર ભગવંત સુધર્માસ્વામીથી માંડી આજદિન સુધી તે પાટપરંપરા સચવાય રહી છે, અને તેનું Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004596
Book TitleShasana Prabhavaka Shraman Bhagwanto Part 1
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1992
Total Pages722
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy