SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ ગાથા ને પાંચમું બાહ્ય પરિગ્રહોની આસક્તિથી સજ્જનને નિવારે, જે વાસના સિંચતી લાલસા ને, તૃષ્ણા તણા લોભ વળી સમાવે, (૨૬) પાંચે વ્રતોમાં ત્રુટીઓ થઈ જે, વ્યાપારવૃત્તિ અથવા રૂઢીથી, વાણી તથા કર્મ મને કરીને, તે ચિત્તથી દૂર કરુ હવે હું (૨૭) પરિગ્રહોની આસક્તિથી ગૃહસ્થને બચાવે છે, અથાર્ત : પાંચમું અણુવ્રત બાહ્ય તેમજ પરિગ્રહ એકઠો કરવા વાસનાથી પ્રેરાઈને જે પ્રલોભનો થાય છે. તેટલું જ નહીં પરંતુ તેથી જે તૃષ્ણા તથા લોભ વધતો જ જાય છે, તેનાથી પણ બચાવે છે. (૨૬) કે સ્ત્રીનું સ્થાન ગૌણ હતું અને પુરૂષે પરિગ્રહ વધારવો જોઈએ નહિ તે પ્રકારના લક્ષમાં સ્ત્રીની કોઇ સ્વતંત્ર ગણત્રી નથી. ભ. મહાવીરે તે સમયના ચાર વ્રતોમાં પાંચમું વ્રત બ્રહ્મચર્યનું ઉમેરી સ્ત્રીને પુરૂષથી સ્વતંત્ર રીતે બ્રહ્મચર્યનું વ્રત લેવાનો અધિકાર આપી આધ્યાત્મિક ક્ષેત્રે તેને પુરૂષ સમોવડી કરી. તેટલું જ નહી પરંતુ ચતુર્વિધ સંધની રચનામાં ભ. બુધ્ધની પેઠે સ્ત્રીઓને યોગ્ય સ્થાન આપતા ખચકાયા નહીં. તે જમાનામાં ભ. મહાવીરનું આ એક ક્રાતિકારી પગલુ હતુ. નોધ : > મારી વેપાર વૃતિથી અગર રૂઢિગત આચરણથી મેં મન વચન અને કાયાથી આ વ્રત અંગે જે ત્રુટીઓ આચરી હોય તેમાંથી પ્રતિકમુ છું. (૨૭) અગાઉ ગાથા ૫ મી માં પરિગ્રહ દોષ અંગે જોઇ ગયા છીએ. તૃષ્ણા અને ધન આસક્તિ વાસનાના જે પરિબળો કામ કરે છે, તેને ગૃહસ્થ જીવનમાં પરિમિત કરવામાં આવે નહીં તો માનવીનું જીવન પશુ જીવન કરતાં કોઈ વિશેષ ઉચ્ચ કોટિનું નથી. પશ્ચિમની ભૌતિક પ્રગતિનું પરિણામ ધન કે ભૌતિક ચીજો એકઠું કરવામાં જ પૂર્ણ વિરામ પામતું હોય તો તે પ્રગતિ પણ માનવ સમાજ માટે કેટલી ઉપયોગી છે, તેનો વિચાર દરેક ચિંતનશીલ ગૃહસ્થે કરવો જ ઘટે છે. ૨૩ Jain Education International_2010_04 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004594
Book TitleVandittu Pratikraman
Original Sutra AuthorN/A
AuthorT U Mehta
PublisherNeki Pankaj Shah Florida USA
Publication Year2004
Total Pages44
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Paryushan
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy