SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ જ નોંધ : ગૃહસ્થની બ્રહ્મચર્યની મર્યાદા પરદારા - ગમન પુરતી નક્કી કરવામાં આવેલ છે. અને સ્વદારા સાથે વિવેક પૂર્વક વર્તિ કામાચારી વલણ ધરાવે નહીં તો તેની ગણત્રી પણ બ્રહ્મચારીમાં થઈ શકે. (““સ્વનારી મર્યાદિત હોય ભલે તોયજ બ્રહ્મચારી”) (૨પ-અ) સ્વનારી મર્યાદિત ગૃહસ્થ સાધક મર્યાદામાં રહે તો બ્રહ્મચારી કહેવાય, પરંતુ સન્યાસ લીધેલ અને બ્રહ્મચારી ગણાતી વ્યક્તિ જો કામાચારી વૃત્તિ ધરાવે તો તે બહ્મચારી ગણાય નહી. (૨૫-બ) ગાથા નં. ૨૫-અ, તથા રપ-બ, ને પ્રથમ દ્રષ્ટિએ વાંચતા મુનિશ્રી ખરેખર શું કહેવા ઈચ્છે છે. તે સ્પષ્ટ થતું નથી. પરંતુ મુનિશ્રીના ખુદના જ વચનો, ઉપર જે તરજુમો રજુ કરેલ છે તેને ટેકો આપે છે. મુનિશ્રી જણાવે છે. - બહારથી વેશધારી બ્રહ્મચારી ખરો બ્રહ્મચારી નથી, પણ ગૃહસ્થાશ્રમી દેખાતો માણસ બ્રહ્મચારી હોઈ શકે... જયાં લગી મનસા, વચસા, કર્મણા, સંપૂર્ણ બ્રહ્મચર્યને તે આરાધી નથી શકતો ત્યાં સુધી સંપૂર્ણ બ્રહ્મચર્યના લક્ષે મર્યાદિત છૂટ માંગે છે. તે જૈન, દ્રષ્ટિ ગૃહસ્થ માટેની એ છૂટ કબુલ રાખે છે... તે ગૃહસ્થનું સ્થાન બ્રહ્મચારી કરતાં ઊંચું આપવામાં આવ્યું છે જે કામાચારી નથી પણ ગૃહસ્થ ધર્મ પાળવા છતાં બ્રહ્મચર્ય પાળે છે” બ્રહ્મચર્યના આ વ્રતને વિશે એક અતિ – અગત્યની વાત લક્ષમાં રાખવી જરૂરી છે તે એ છે કે ભ. મહાવીર પહેલાં પ્રભુ પાર્શ્વનાથના અનુયાયિઓ જે ચતુર્વિધ ધર્મનું પાલન કરતા હતાં તેમાં બ્રહ્મચર્યને સ્વતંત્ર વ્રત તરીકે સ્થાન આપવામાં આવતું નહિ કારણકે માન્યતા એવી હતી કે અપરિગ્રહના વ્રતમાં એક પત્નિત્વનું વ્રત આવી જાય છે. આવી માન્યતાનો અર્થ તો એવો થાય કે પત્નિ બીજી ભૌતિક ચીજો ની પેઠે પરિગ્રહની વસ્તુ છે. તે જમાનામાં તો દરેક પુરુષને એક પત્ની કરતાં વિશેષ પત્ની કરવાની છૂટ હતી એટલે સામાજિક ઢાંચો જ એવો હતો ૨૨ Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004594
Book TitleVandittu Pratikraman
Original Sutra AuthorN/A
AuthorT U Mehta
PublisherNeki Pankaj Shah Florida USA
Publication Year2004
Total Pages44
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Paryushan
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy