________________
ગાથા
ત્રણ ગુણ વ્રતો
માલીની ત્રણ ગુણવ્રતો એ તો પાંચને પોષવામાં, જનનિરૂપ સ્વરૂપે સિંચતા પ્રેમવાણી, સુખદ તરુ થઈ એ ચાર શિક્ષાવ્રતોથી, મધુર રસ ફળો ને આપતું આત્મવૃક્ષ. (૨૮)
શિખરીણી દિશાની મર્યાદા સ્વધાર હિત અર્થે જિન મતે, પદાર્થો માટેની પણ કહી તથા રૂપ જ વળી, છતાં પૂર્વાધ્યાસે મતિકૃતિ થકી જે ક્ષતિ થઈ, ક્રમે પેલે બીજે ગુણવ્રત વિશે હું પ્રતિક્રમ્ (૨૯) અભક્ષ્ય ને કામ વધારનારાં, રસાળ જે ભોજન પાન - કર્મ કુદશ્ય કંદર્પ કથા કુચિત્ર, કુસ્પર્શ દોષો સઘળા વમું છું. (૩૦) દુધ્ધન કે શોક અનિષ્ટ યોગે, ઇર્ષા, ધૃણા, મત્સર, દંભ, તંદ્ર
ને માન વ્યામોહ જ ઈષ્ટ યોગે, તજ થયેલા સઘળાં અનર્થો (૩૧) અથાર્ત : પાંચ અણુવ્રતોને પોષણ આપવા ત્રણ ગુણવ્રતો છે જે માતા સ્વરૂપે, પુષ્ટિ
આપે છે. આથી અણુવ્રતો વિકાસ પામે છે. (સુખદ તરૂ થઈ) અને ચાર શિક્ષાવ્રતો તેમાં પોતાનો મધુર રસ સીંચે છે. અને આ રીતે આત્મારૂપી વૃક્ષ મોટું થાય છે. જે ત્રણ ગુણવ્રતોની વાત કરી તે છે. ૧ દિશા પરિમાણ ૨ ભોગ ઉપભોગ પરિમાણ ૩ અનર્થોથી બચવા માટેની અનર્થી દંડ વિરક્તિ જે ચાર શિક્ષા વ્રતો છે. તે ૧ સમાયિક ૨ દેશાવકાશિક ૩ પૌષધ ૪ અતિથિ સંવિભાવ. આ બાબતની ચર્ચા હવે આવે છે. (૨૮).
૨૪
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org