________________
અધ્યયન-૯
અર્થાત, હે બ્રાહ્મણ, તેમાં મારું કોઈ નથી તેમ સમજીને હું સુખી છું અને સુખેથી રહું છું. મિથિલા નગરી બળી જવાથી મારું કાંઈ બળતું નથી. (ગા. ૧૪).
चत्त पुत कलतस्स निवावारस भिख्खुणो । पियं न विज्जये किं चि अप्पियं पि नविज्जये ।। (१५)
અર્થાતુ, જે ભિક્ષુએ પુત્ર કલત્ર (પત્ની)નો ત્યાગ કર્યો છે તેને કોઈ પ્રિય નથી કે અપ્રિય નથી. (ગા, ૧૫).
જે મુનિ ગ્રહસ્થના વ્યાપારથી અને સઘળા આરંભથી મુક્ત છે અને જે એકાંત માં રહીને મોક્ષનું ચિંત્વન કરે છે તેનું કલ્યાણ થાય છે.
ઈદ્રઃ હે ક્ષત્રિય ! પ્રથમ નગરના રક્ષણાર્થે કોટ બંધાવ, તેને દરવાજા મુકાવ, તેના ઉપર બુરજો બનાવ, તેના ફરતી ખાઈ ખોદાવ, યુદ્ધ સ્થાન ઉપર શતદન યંત્ર મુકાવ, ત્યારબાદ આ દીક્ષાર્થે જવું યોગ્ય છે. (ગા. ૧૮)
રાજર્ષિઃ ધર્મ તત્ત્વ ઉપર શ્રદ્ધારૂપી નગર વસાવી, તેને ફરતો ક્ષમારૂપી કોટ બાંધી, તપ-સંયમરૂપી દરવાજા મૂકી, તે પ્રકારે (જીવનના) કિલ્લાને અભેદ બનાવ્યા બાદ પરાક્રમરૂપી ધનુષ્ય ધારણ કરી ઈરિયા સમિતિરૂપી તેની પ્રત્યંચા કરીને, સંતોષરૂપી મૂઠ બનાવી, સત્યરૂપી બંધનથી તેની મૂઠ લપેટીને તારૂપી લોહ બાણ ચડાવી કર્મરૂપી કવચને ભેદવાથી બુદ્ધિમાન સાધક વિજય મેળવીને સંસારથી મુક્ત થાય છે. (ગા. ૨૦ થી ૨૨)
ઈદ્રઃ હે રાજન્ ! પ્રથમ ભવ્ય મહેલ અને ક્રિડાથાનો બનાવો. (ગા. ૨૪)
રાજર્ષિ: જે માર્ગમાં ઘર બનાવે છે તેને ભય રહે છે તેથી જે નગરને વિષે મારે જવું છે ત્યાં જ શાશ્વતુ ઘર કરવું યોગ્ય છે. (ગા. ર૬)
ઈદ્ર : હે રાજન્ ! તમોને જે રાજાઓ નમતા નથી તેને તો વશ કરો. (ગા. ૩૨)
રાજર્ષિ : નો સí સEસા સંમે સુજ્ઞ નિને ! ओठां जिणिज्ज अप्पाणं अससे परमोजओ ।। (३४)
ઉત્તરાધ્યયન - સાર
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org