________________
અધ્યયન-33
તું જ તારો મિત્ર કે શત્રુ
નોંધ ૧ : જૈન દર્શન પ્રમાણે આત્મા તેની નિર્ભેળ અને નિર્લેપ સ્થિતિમાં સર્વ શક્તિમાન અને સર્વદર્શી છે. પરંતુ પૌોલિક સંસર્ગને લઈને તેની શક્તિ વિવિધ રીતે ઢંકાઈ ગયેલ છે. આ પૌોલિક સંસર્ગ કપાજિત છે. જે પ્રકારના કર્મો તે પ્રકારે આત્મશકિતનું આવરણ અને તે પ્રકારે જીવનમાં દુઃખ-સુખના પ્રસંગો ઉપજાવતી સાંસારિક ઘટનાઓ. સંસારમાં કોઈ પણ પ્રસંગ કે વસ્તુ કારણ વિના બનતી જ નથી અને દરેક કારણ કોઈ જ્ઞાત અગર અજ્ઞાત કાર્યનું જ પરિણામ હોય છે. તે કાર્ય – સારું કે નરસું ફક્ત આત્માની ચેતન શક્તિથી જ થાય છે. આથી તો ઘનિકોએ કહ્યું કે તારો મિત્ર કે શત્રુ તારો જ આત્મા છે અને તારું ભવિષ્ય તારા જ હાથમાં છે. કોઈ બાહા શક્તિના હાથમાં નહીં.
ર્મના આ સિદ્ધાંતમાં લેઈ અપવાદ નથી. તીર્થકોના જીવને પણ તે સિદ્ધાંત તેટલો જ લાગુ પડેજેટલો વનસ્પતિના જીવને લાગુ પડે માટે ર્મ શું છે, આત્મિક શકિત ઉપર તેનું આવરણ ક્વી રીતે અને શા માટે થાય છે તેનું આ અધ્યયનમાં વિશ્લેષણ છે.
નોંધ ૨ : આપણે જોયું કે આત્મશક્તિની સંપૂર્ણ ખીલવણી માટે સમ્યગ જ્ઞાન, દર્શન અને ચારિત્રની જરું રહે છે. બીજા શબ્ધમાં કહીએ તો જેટલે અંશે સમ્યગ જ્ઞાન, દર્શન અને ચારિત્રની ખામી તેટલે અંશે આત્મશકિતનો પ્રભાવ ઓછો. જીવ વિવિધ પ્રકારના કર્મ પરમાણુઓ ગ્રહણ કરે ત્યારે તે પરમાણુઓ જીવના જ્ઞાન, દર્શન અને ચારિત્રના વિકાસને અવરોધ કરે છે. આ પૃષ્ઠભૂમિ ધ્યાનમાં રાખીને હવે આ અધ્યયનની ગાથાઓ જોઈએ.
અધ્યયન ૩૩ : ર્મ પ્રત
અધ્યયન સાર
ભગવાને કહ્યું, જે કર્મોથી બંધાયેલ જીવ સંસારમાં પરિવર્તન કરે છે તેના આઠ પ્રકાર છે : (૧) જ્ઞાનાવરણીય (સમ્યક જ્ઞાનને અવરોધનારા કર્મ), (૨) દર્શનાવરણીય (સમ્યફ દર્શનને અવરોધનારા), (૩) વેદનીય (શાતા-અશાતા ઉપજાવનાર), (૪) મોહનીય (જેનાથી આત્મા મોહ પામે), (૫) આયુષ (જેના ઉદયથી દેવ, મનુષ્ય,
ઉત્તરાધ્યયન - સર
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org