________________
અધ્યયન-૩૬
સંસારનું સ્વરૂપ
નોંધ : અધ્યયન નં. ૩ અને પમાં જીવન અને મૃત્યુનું મહાસ્ય સમજાવ્યું અને અધ્યયન ૧૪માં સંસારની અસારતા સમજાવી. આટલું જાણ્યા બાદ વિચારવંત મનુષ્યને આ
mતમાં ચાલતી વ્યવસ્થા વિશે વિચારો આવે તે સ્વાભાવિક છે. તેને થાય કે જો સંસાર અસાર હોય અને જીવન તથા મૃત્યુ પણ સહેતુક હોય અને અજ્ઞાની મનુષ્યનું મૃત્યુ વારંવાર અને ઈચ્છારહિત હોય તો આ સંસારનું સ્વરૂપ શું હશે ? આપણી આજુબાજુ ના વિવિધ પ્રકારનો જ નિત્યલ્મ ચાલી રહ્યો છે તેમાં કોઈ યોજના હશે કે બધું કેવળ આકસ્મિક જ હશે ? યોજના હોય તો શું છે? તેનો કર્તા કોણ છે? જે “ઈશ્વર” નામની કોઈ બાહ્ય સત્તા આ દ્ગતનો કર્યા હોય તો તેણે અમુક પ્રકારની વિષમતાઓ આ સર્જી? સુખની સાથે દુ:ખનો પણ પ્રબંધ કેમ ર્યો ? જો કોઈ કર્તા હોય તો તેને આ બધી સત્તા કોણે આપી? શા માટે આપી ? ગતના યંત્રની આ સ્થિતિનો જો કોઈ કર્તા હોય જ નહીં તો તે બધું શું ફક્ત આકસ્મિક જ છે? જો તે આકસ્મિક જ હોય તો મનુષ્ય યત્નને શું સ્થાન છે ? આકસ્મિક સંયોગોના ભોગ જ બનવાનું માનવ માટે સર્જેલ હોય તો જે જીવન મળ્યું છે તેમાં સારા-નરસાનો, પાપ-પુણયનો વિચાર કરવાનો અવકાશ જ ક્યાં છે? અને તો પછી ‘યાવત્ જીવેત સુખ જીવેત, ત્વાકૃતં પિધે’ના ન્યાયે ફક્ત ભૌતિક આનંદ મેળવવાની પ્રવૃત્તિ જ કેમ ન કરવી ?
આ અને આવા બીજા ઘણા પ્રશ્નોના જવાબ શોધવાની પ્રક્યિાને જ્ઞાન માર્ગ કહે છે. આ જ્ઞાન માર્ગે પ્રયાણ કરનારને સંસારની રચનાનો જયારે વિચાર આવે છે ત્યારે તેના મૂળભૂત તત્ત્વો શું છે તે જાણવા આતુર થાય છે. આ આતુરતાનો જવાબ આ અધ્યયનમાં અને ત્યારબાદના બીજા થોડાક અધ્યયનોમાં મળે છે. સૂત્ર રચનામાં આ અધ્યયન છેલ્લું છે અને મોટામાં મોટું રક૬ ગાથાઓનું છે. સંસારનું સ્વરૂપ તેમાં તદ્દન વૈજ્ઞાનિક ઢબે સમજાવવામાં આવેલ છે.
આ અધ્યાયમાં ગાથાઓનો ક્રમ જે આપવામાં આવેલ છે તેનો તર્ક સમજવામાં વાચકોને સુવિધા રહે તે હેતુથી આ ક્રમને બલ્લીને તેમજ અમુક ઊડણવાળી શાસ્ત્રીય વિગતો છોડી દઈને આ અધ્યયનો સાર આ નીચે આપવામાં આવેલ છે.
ઉત્તરાધ્યયન - સાર
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org