SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૨ અવયન-૧૪ પુત્રો : “પિતાજી, આત્મા અરૂપી છે તથા અગ્રાહ્ય છે અને તેથી તે નિત્ય અને શાશ્વત છે અને કર્મ-બંધન સંસાર પરિભ્રમણનું કારણ છે. હે પિતાજી, સંસારમાં એક તત્ત્વ પીડા ઉત્પન્ન કરે છે, બીજું વીંટળાઈ વળે છે અને ત્રીજું નિરંતર વહ્યા જ કરે છે. તેથી સંસાર પ્રત્યે હવે રૂચિ નથી.” (ગા. ૧૯ થી ૨૧). પિતા: “આ પીડા કોણ કરે છે, વીંટળાઈ વળે છે તે શું છે? અને વહ્યા જ કરે છે તે પણ શું છે?” (ગા. ર૨) પુત્રોઃ “પિતાજી, મૃત્યુ પીડા ઉપજાવે છે, જરા વીંટળાઈ વળે છે અને રાત્રિદિવસ વહ્યા જ કરે છે, જે વ્યતીત થયા બાદ પાછા આવતા નથી. ધર્માચરણ કરનારના આ રાત્રિ-દિવસો સફળ થાય છે.” (ગા. ર૩ થી ર૫) પિતાઃ આપણે સંસારમાં સાથે રહીને વ્રતો પાળીશું અને પછી સાથે જ દીક્ષા લઈશું.” (ગા. ૨૬) પુત્રોઃ “પિતાજી, જે માણસને મરણની સાથે મૈત્રી હોય અથવા જેને મરણથી નાસી છૂટવાની શક્તિ હોય અથવા “હું મરીશ જ નહીં તેવી ખાતરી હોય તે મનુષ્ય જ આપના જેવો વિચાર કરી શકે.” (ગા. ર૭). जस्सद्धि मच्चुणा सख्खं जस्सवत्थि पलायणं । નો ગાળ ન મરિસનિ લોકુર લુસિયા || (ર૭) આમ કહીને પુત્રોએ સંસારનો ત્યાગ કર્યો. બાદમાં પુરોહિતે અને તેની સ્ત્રીએ પણ સંસારનો ત્યાગ કર્યો. આ વાત રાણીએ જાણી ત્યારે તેના સંસ્કાર પણ જાગૃત થયા. પુરોહિતની બિનવારસદાર મિલક્ત રાજા હસ્તગત કરતો હતો ત્યારે રાણી તેને બોધ આપે છે, “હે રાજન! જેમ કોઈ વમન કરેલો આહાર ફરીથી ખાય તે પ્રશંસાને પાત્ર નથી, તેમ તમે પણ બ્રાહ્મણે છોડી દીધેલ ધન ગ્રહણ કરો છો તે પ્રશંસનીય નથી. હે રાજનતમને કોઈ આખું જગત અને તે ઉપરનું સર્વ ધન અર્પણ કરે તો તેથી પણ તમારી તૃષ્ણા સંતોષાશે નહીં તેમજ તે તમારું રક્ષણ પણ કરશે નહીં. (ગા. ૩૮-૩૯) ઉત્તરાધ્યયન - સાર Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004591
Book TitleAgam 44 Mool 04 Uttaradhyayan Sutra Sar
Original Sutra AuthorN/A
AuthorT U Mehta
PublisherUmedchand and Kusumbaben Charitable Trust Ahmedabad
Publication Year1999
Total Pages126
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy