________________
અધ્યયન-૩
૩૭
મનુષ્ય - યોનિનું મહત્ત્વ
નોંધ : આ અધ્યયનમાં મનુષ્ય જન્મનું દુર્લભપણું અને તે પ્રાપ્ત થયા બાદ પણ બીજી ત્રણ જે અતિ દુર્લભ વસ્તુઓ છે તે બતાવેલ છે અને તે રીતે મનુષ્ય જન્મની અગત્ય બતાવી છે.
અધ્યયન ૩: “ચાતુરંગીચ’ - ચાર દુર્લભ વસ્તુઓ
चत्तारि परमंगाणि, दुल्लहाणीह जन्तुणो । માધુસંત સુર્ડ દ્ધા, સંગમન થવારિવું || (૧)
સંસારમાં પરમ ઉત્કૃષ્ટ અને મોક્ષ સાધનના પાયા રૂપ ચાર વસ્તુઓ છે અને તે ચારે વસ્તુઓ મેળવવી અતિ દુર્લભ છે. આ ચાર વસ્તુઓ નીચે મુજબ છે : (૧) મનુષ્ય જન્મ, (૨) ધર્મ-માર્ગનું શ્રવણ, (૩) તેવા માર્ગ ઉપર શ્રદ્ધા અને (૪) તે માર્ગ પ્રાપ્ત કરવાનો પુરૂષાર્થ.
જગત અનેક પ્રકારના જીવોથી ભરપૂર છે. દરેક જીવ નાનામોટી વિવિધ યોનિમાં ફરતો ફરતો અનેક પ્રકારના સારા માઠા અનુભવો કરતો જયારે અશુભ કર્મોને હળવા કરી શકે છે ત્યારે જન્માંતરો બાદ સૃષ્ટિમાં શ્રેષ્ઠ એવી મનુષ્ય યોનિને પ્રાપ્ત કરે છે. સૃષ્ટિના સર્જનમાં સર્વોત્કૃષ્ટ યોનિ મનુષ્યની છે કારણ કે તે યોનિમાં જ તેનો આત્મિક પ્રગતિ કરવાનો અવસર પ્રાપ્ત થાય છે. આથી મનુષ્ય-જન્મ અતિ દુર્લભ છે. આત્માર્થે તેના વડે અમૂલ્ય તક જીવને પ્રાપ્ત થાય છે. (ગા. ૧ થી ૭)
પણ મનુષ્યદેહ મળ્યા બાદ જીવને ધર્મનું શ્રવણ દુર્લભ થઈ પડે છે. (અહીં ધર્મનો અર્થ સંકુચિત સાંપ્રદાયિક વાડાનો નથી. “ધર્મ' એટલે આત્મિક ઉન્નતિ અર્થે વિકસતું જીવન.) ધર્મના શ્રવણથી ક્ષમા, દયા, પ્રેમ વગેરે ગુણો વિકસે છે.
પરંતુ ધર્મનું ફક્ત શ્રવણ કરવાથી જ તેનો વિકાસ થાય છે તેવું નથી કારણ કે જે વાત શ્રવણ કરી તેમાં શ્રદ્ધા ઉત્પન્ન થવી દુર્લભ છે. શ્રદ્ધા હોય તોજ આગળ
ઉત્તરાધ્યયન - સાર
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org