SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપોદ્ઘાત થાય ત્યારે શું કરવું? તેનો જવાબ સાતમા અને આઠમા તત્ત્વની સમજણથી મળી શકે છે. સાતમું તત્ત્વ ‘સંવર' છે. સમ્ + વૃ એટલે ઘેરી લેવું. કર્મના આસ્રવની સરવાણી બધી બાજુએથી આવતી બંધ કરી દેવી એટલે કે નવા કર્મોનું ઉપાર્જન ન થાય તેવા ભાવ અને પ્રવૃત્તિ જીવનમાં અપનાવવી તેને સંવર કહેવાય. આ તો ત્યારે જ શક્ય બને કે જ્યારે સમસ્ત જીવન વ્યવહાર નિષ્કામ ભાવે અને સાત્વિક સાહજિકતાથી થાય, જ્યારે પાપી ભાવોનો ઉદય આવે જ નહીં પરંતુ પુણ્યના ભાવો તથા કાર્યો તદ્ન નિષ્કામ વૃત્તિથી જ થાય અને જ્યારે ‘સર્વ સંબંધના બંધન તીક્ષ્ણ છેદીને’ મહદ્ પુરૂષના પંથે વિચરવાનું શક્ય બને. ‘સંવર’માં પ્રવેશેલ વ્યક્તિની આ સ્થિતિ ગીતાજીના સ્થિતપ્રજ્ઞની સ્થિતિ છે. તે સ્થિતિ પ્રાપ્ત થયા બાદ પ્રશ્ન રહે છે તે ફક્ત સંચિત થયેલ કર્મોના નાશનો કેમકે હવે નવા કર્મોનું ઉપાર્જન બંધ થયું છે. આ સંચિત કર્મોનો નાશ સકામ અને અકામ નિર્જરાથી કેવી રીતે થાય તેની ચર્ચા થઈ ગઈ છે. ૨૯ આ પ્રમાણે સમગ્ર કર્મોનો ક્ષય થાય ત્યારે આત્મા (જીવ) કર્મ બંધનથી મુક્ત થાય છે અને નવમા તત્ત્વ ‘મોક્ષ’ને પ્રાપ્ત કરવા શક્તિમાન થાય છે. પ્રગતિના સોપાન આત્માની આ પ્રગતિના ત્રણ મુખ્ય વિભાગો થયા. (૧) ‘બહિરાત્મ’ દશા જેમાં જીવ સારી-નરસી કર્મ વર્ગણાઓથી ઘેરાયેલો જ રહે છે અને તેમાંથી છુટવાનું તેને મન થતું જ નથી. (૨) ‘અંતરાત્મ દશા’ જેમાં ઉપરની દશાની નિષ્ફળતાનું ભાન થયા બાદ અંતર-નિરીક્ષણ થવા લાગે છે જે ઉત્તરોત્તર વધતું જાય છે અને સાત્વિક વૃત્તિ વેગ પકડે છે. (૩) ‘પરમાત્મ દશા’ જેમાં પ્રગતિને પંથે પડેલ આત્મા સર્વ કર્મોનો ક્ષય કરી છેવટે શુદ્ધ આત્મદશાને પામે છે. છેલ્લી પરમાત્મ દશાને પામવા ઘણો આકરો પ્રયત્ન કરવાની જરૂર રહે છે. Jain Education International 2010_03 ઉત્તરાધ્યયન - સાર For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004591
Book TitleAgam 44 Mool 04 Uttaradhyayan Sutra Sar
Original Sutra AuthorN/A
AuthorT U Mehta
PublisherUmedchand and Kusumbaben Charitable Trust Ahmedabad
Publication Year1999
Total Pages126
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy