________________
ઉપોદ્યાત
લેખન હેતુઃ આ સૂત્રોનો અનુવાદ તથા વિવરણ ઘણા વિદ્વાન લેખકોએ કરેલ છે. સૌથી જુની ટીકા શ્રી ભદ્રબાહુ, શ્રી શાન્તિસૂરી અને શ્રી દેવેન્દ્રમણિની ગણાય છે. પરંતુ, અદ્યતન ગ્રંથોમાં શ્રી હર્મન જેકોબી, શ્રી નાગરદાસ ધ્રુવ, મુનિ શ્રી સંતબાલજી, અમર મુનિશ્રી તથા શ્રી ગોપાલદાસ પટેલના પુસ્તકો છે. શ્રી ગોપાલદાસ ભાઈએ તેમનો ઉપાદ્યાત તથા દરેક અધ્યાયને અંતે માહિતીસભર ટિપ્પણો આપી છે તેમજ પુસ્તકને અંતે સુભાષિતો, ઉપમાઓ તથા વિષયસૂચિ આપેલ હોઈને અભ્યાસીઓને ઘણી જ મદદ કરી છે. આ બધા વિદ્વતવર્યોના લખાણો બાદ આ અંગે કોઈ વિશેષ પ્રયત્નની જરૂર રહે નહીં. છતાં આ પુસ્તિકા લખવાનો હેતુ આ અમૂલ્ય સૂત્રોનો સારભાગ વિશેષ લોકભોગ્ય બને તથા જૈન તેમજ જૈનેતર વર્ગને સરળતાથી વિષયવાર ઉપલબ્ધ બને તેવો પ્રયત્ન કરવાનો છે કે જેથી અમુક વિષય બાબત ઉત્તરાધ્યયન શું કહે છે તે સહેલાઈથી જાણી શકાય.
ઉત્તરાધ્યયન : સાર
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org