________________
ઉપોદ્ઘાત
અને તેમના શિષ્યોએ પણ પાંચમાં બ્રહ્મચર્ય વ્રતને જુદો કરીને સ્વીકારવાનું કબુલ્યું. અધ્યાય ર૩મો આ અંગે છે. આ અધ્યાયની અગત્ય એ છે કે તેનાથી નીચેની બાબતો સ્પષ્ટ થાય છે :
(૧) જૈન ધર્મના સ્થાપક મહાવીર નહોતા, અને તે “શ્રમણ પરંપરાના
ભાગ રૂપે જુના કાળથી ચાલી આવતી પરંપરા હતી. (૨) ત્રેવીસમાં તીર્થકર શ્રી પાર્શ્વ ઐતિહાસિક વ્યક્તિ હતા. (૩) એક ક્રાન્તિકારી પુરૂષ તરીકે શ્રી મહાવીરે ચીલાચાલુ રૂઢીને વળગી
ન રહેતા તેમાં મૂળભૂત સુધારા કર્યા. (૪) મહિલાઓને ભૌતિક સંપત્તિનો એક ભાગ ગણવાને બદલે બ્રહ્મચર્ય
પાળવાના તેમના હક્કનો સ્વીકાર કરી સ્ત્રીઓને પુરૂષો જેટલું સ્થાન આપ્યું.
દૃષ્ટિ વિશાળતા ઃ સંકુચિતતા અને જૈન-દર્શન તે બંને વિરોધાભાસી દષ્ટિઓ છે. જે જૈન હોય તે જ મોક્ષ પામી શકે અગર તો અમુક લીંગની વ્યક્તિઓ જ મોક્ષને મેળવી શકે તે જાતની સંકિર્ણતા અનેકાન્ત વાદી જૈન દર્શનમાં ન જ હોઈ શકે તેનો સ્વીકાર આ સૂત્રો કરે છે. તેમજ મોક્ષ મેળવવો હોય તો સન્યાસ લેવો જ જોઈએ અને ગૃહસ્થાશ્રમમાં રહેવાથી તે બની શકે નહીં તેમ પણ જૈન દર્શનની માન્યતા નથી તેનો આ સૂત્રોમાં સ્વીકાર છે. (જુઓ અધ્યાય ૩૬, ગાથા ૫૦, પર થી પપ તથા અધ્યાય ૫, ગાથા ૧૭-૨૮) અન્ય સંપ્રદાયના સાધુઓ પણ મોક્ષને પ્રાપ્ત કરી શકે છે તે જાતનો સ્વીકાર વિશ્વના બીજા દર્શનોમાં ભાગ્યે જ જોવા મળશે નવકાર મંત્રનું સર્વગ્રાહી તત્ત્વ અને સ્વાદ્વાદનું સારગ્રાહી તત્ત્વ જૈન દર્શનની આ દષ્ટિ વિશાળતાનું અનુમોદન જ છે. વિશેષ અનુમોદન મળે છે અધ્યાય ૧૨-૧૩માં કે જેમાં ચંડાલ જાતિમાં
ઉત્તરાધ્યયન - સાર
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org