________________
૯૬
અધ્યયન-૧૯
અહો ! દુખોદુ સંસારો
નોંધ : સુગ્રીવ નામનું મનોહર નગર હતું. તેમાં બલભદ્ર નામે રાજા રાજ કરતો હતો. મૃગા નામની તેની પાણી હતી. તેને લશ્રી નામે યુવરાજ પુત્ર હતો. જે મૃગાપુત્રના નામથી પ્રસિદ્ધ હતો. અહીં તેની સ્થા છે.
મૃગાપુત્રને નિમિત્ત મળતાં રીક્ષા લેવાના ભાવ થાય છે ત્યારે માતાપિતા શ્રમણ સાધુએ વેઠવી પડતી હાડમારીનો ખ્યાલ આપે છે પરંતુ મૃગાપુત્ર જેને પૂર્વ જન્મોનું જ્ઞાન થયું છે તે પોતાના નિર્ણયમાં અન્ન રહે છે અને છેવટે માતાપિતાની સંમતિ મેળવે છે.
માતાપિતા સાથેના સંવામાં નર્ક યાતનાનું જે વર્ણન આવે છે તેમાં કલ્પનાતીત ક્રતા અને જુગુપ્સાનિત વર્ણનો આવે છે તેની વિગત તત્ત્વ ચર્ચામાં અગત્યની નહીં હોવાથી અહીં આપવામાં આવી નથી.
અધ્યયન ૧૯: મૃગાપુત્રીય
અધ્યયન સાર
મૃગાપુત્ર અત્યંત એશઆરામમાં રહે છે. એકદા તેમની રત્નજડિત અટારીએ ઉભા હતા ત્યારે રસ્તા ઉપર એક તપસ્વી શ્રમણને જોયા. તેમને થયું કે આ પ્રકારના તપસ્વીને તેમણે અગાઉ ક્યાંક જોયા છે. તેઓ આંતર નિરીક્ષણમાં પહોચી ગયા ત્યારે તેમને પૂર્વ જન્મોનું જ્ઞાન થયું અને અંતરમાં વૈરાગ્યના ભાવ જાગ્યા, સંસારની અસારતા જણાઈ અને દીક્ષા લેવાનો વિચાર કર્યો. માતાપિતાની રજા લેવા ગયા અને કહ્યું, “હે માતા ! હે તાત! વિપફળ સરખાં સાંસારિક ભોગ મેં ઘણા ભોગવ્યા, જેના પરિણામ કડવા છે. આ અશાશ્વત શરીર પાણીના પરપોટા જેવું છે. જેમાં હવે મારું મન સંતોષ પામી શકે તેમ નથી. તેમણે કહ્યું, (ગા. ૧ થી ૧૧).
जम्मदुख्खं जरादुख्खं रोगाय मरणाणिय । દો! ટુરવોટું સંસારો નથ્થસિંતિ ગંતો ! (૧૬)
ઉત્તરાધ્યયન - સાર
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org