________________
ઉપોદ્ઘાત
આવા સિદ્ધ પુરૂષોની ઓળખ તત્ત્વજ્ઞોએ ત્રણ રીતે આપી છે : (૧) તેઓ “બુદ્ધાણે બોતિયાણ – જે તત્ત્વને જાણનારા અને બીજાને જણાવનારા છે. (૨) તિજ્ઞાણે તારયાણ – જે પોતે ભવસમુદ્રને તરી ગયેલા છે અને બીજાને તારનાર છે અને (૩) મુત્તાણું મોયગાણે – જે પોતે મુક્તિને પામેલા છે અને બીજાને મુક્ત કરાવનારા છે. પોતાના જીવનની આ છેલ્લી ધર્મસભામાં પોતાનું આ અંતિમ પ્રવચન કરીને ભગવાને આ ત્રણે ઓળખ પૂરી પાડી.
પોતાનું પ્રવચન પૂરું કરીને કૃષ્ણપક્ષના છેલ્લા દિવસની મધ્યરાત્રિએ શુકલ ધ્યાનમાં ધ્યાનસ્થ સ્થિતિમાં તેઓશ્રીએ આ ભૌતિક દેહના બંધન પણ છોડ્યાં અને સિદ્ધ સ્થિતિને પ્રાપ્ત થયાં. ધર્મસભામાં એકત્ર થયેલ રાજવીઓએ અને બીજાઓએ જાહેર કર્યું કે “આ પૃથ્વી ઉપર ચૈતન્યની જયોતિ જગાવનાર મહા જ્યોતિનો અંત આવ્યો, પરંતુ તેની યાદમાં ઘેર ઘેર આજને દિવસે ભૌતિક જયોતિઓ જગાવો.” તે દિવસથી ભારતની ઋણપ્રેમી પ્રજા ભગવાનના નિર્વાણદિને ઘેર ઘેર જ્યોતિ જગાવી દીપાવલી ઉજવે છે.
ઉત્તરાધ્યયન સૂત્રની આ છે પૃષ્ઠભૂમિ. ભગવાને આપેલ પ્રવચન જે તે સમયે તો લખાયેલ નથી જ. પરંતુ તે સમયે શાસ્ત્રો યાદદાસ્તમાં સંગ્રહાયેલ રહેતા. અને તે રીતે સંગ્રહાયેલ વસ્તુ “શ્રુત' (સાંભળેલ) તરીકે ઓળખાતી. ભગવાનના અગ્રગણ્ય શિષ્યોમાંના એક હતા શ્રી સુધર્મા સ્વામી, જેઓ ભગવાનના ૧૧ “ગણધરો'માંના પાંચમા ગણધર હતા. ભગવાનના તમામ ગણધરો બ્રાહ્મણકુળના વેદાભ્યાસી હતા. શ્રી સુધર્મા સ્વામીએ ભગવાનને સ્વમુખે પ્રવચન દેતાં સાંભળેલ. તેમના શિષ્ય શ્રી જંબુ સ્વામીને ભગવાનના પ્રવચનની વિગત શ્રી સુધર્મા સ્વામીએ કહી તે “ઉત્તરાધ્યયન સૂત્ર' સ્વરૂપે આપણી પાસે આવે છે.
નામ : આ સૂત્રનું નામ “ઉત્તરાધ્યયન' શા માટે રાખવામાં આવ્યું તે
ઉત્તરાધ્યયન - સાર
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org