SearchBrowseAboutContactDonate
Page Preview
Page 6
Loading...
Download File
Download File
Page Text
________________ પણ સતત બદલાવને પાત્ર છે. આમ છતાં એક તત્ત્વ એવું છે કે જે તેમાં અંર્તહિત કાયમ માટે રહેલ હોય છે. દા.ત. માટીનો ઘડો બને તે ઘડાની ઉત્પતિ થઈ, ઘડો ચાલુ રહે અને બાદમાં તે તૂટી જાય, તેનો લય થાય તો એ ત્રણ સ્થિતિમાં માટી તો કાયમ રહે જ છે. તેજ રીતે જીવંત તત્ત્વનું. વનસ્પતિથી માંડી મનુષ્યનો જીવ લો. તે તમામ જીવોની વિવિધતામાં ઉત્પતિ, સ્થિતિ અને લય તો થાય છે જ પરંતુ તેનું જે જીવંત તત્ત્વ છે તે તેના જીવનની તમામ વિવિધતામાં કાયમ જ રહે છે. માણસ જન્મ્યા બાદ તેની કુમારાવસ્થા, યૌવન, પીઢ અવસ્થા અને વૃદ્ધાવસ્થાની વિવિધ શ્રેણીમાંથી પસાર થાય છે ત્યારે તેનો દેખાવ, શરીર, સ્વાથ્ય, બુદ્ધિ, કાર્યશીલતા વગેરે બધામાં વિવિધ પ્રકારના ફેરફારો થતા હોવા છતાં તેની “હુંપણાની સભાનતા જેવી ને તેવી જ જીવનના અંત સુધી ચાલુ જ રહે છે. આ સભાનતા જુદા જુદા સ્વરૂપ ધારણ કરતી શારીરિક સ્થિતિથી ભિન્ન છે. આ ભિન્નતાને ઓળખવા માટે આપણે “જીવ’ અને ‘અજીવનો શબ્દપ્રયોગ કરીએ છીએ. જૈન તત્ત્વજ્ઞોએ તો સ્વયંસંચાલિત ન હોય તેવી સ્થૂળ વસ્તુઓમાં પણ “જીવ છે તે પ્રતિપાદન કર્યું તેથી વાયુ, અગ્નિ, પાણી અને પૃથ્વીમાં પણ ‘નિગોદ’ના જીવ છે તેમ કહ્યું છે કે હવે વિજ્ઞાને પણ સ્વીકાર્યું. આ તમામ નિરીક્ષણ પછી તેઓએ કહ્યું કે સારાયે વિશ્વના બે મોટા વિભાગો કરવા હોય તો તે (૧) જીવ અને (૨) અજીવ છે અને તેમનું જીવ' તત્ત્વ શાશ્વત છે અને “અજીવ' તત્ત્વ રૂપાંતરને પાત્ર છે. સાથે બીજી બે વાતો કહી તે પણ અગત્યની છે. તે એ કે આ બંને તત્ત્વો અનાદિ છે. “જીવ તત્ત્વ અનંત છે અને રૂપાંતરને પાત્ર નથી. બીજી વાત એ કહી કે આ બંને તત્ત્વો અનાદિ કાળથી એકબીજા સાથે સંલગ્ન છે અને જયાં સુધી તેઓ સંલગ્ન છે ત્યાં સુધી જીવ' તત્ત્વ તેની ચૈતન્ય શક્તિ “અજીવ તત્ત્વને પૂરી પાડે છે. તેના અસલ અને નૈસર્ગિક સ્વરૂપમાં ‘જીવ' તત્ત્વ જ્યારે “અજીવ તત્ત્વથી છૂટું પડે ત્યારે શુદ્ધ ચૈતન્યમય દશામાં હોય છે અને તે દશામાં તે સર્વજ્ઞ અને સર્વશક્તિમાન સ્વરૂપે હોય છે. પરંતુ “અજીવ' તત્ત્વના સંસર્ગથી તેની આ શુદ્ધ ચૈતન્ય શક્તિ ઝાંખી જૈન દર્શનની રૂપરેખા Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004590
Book TitleJain Darshanni Ruprekha
Original Sutra AuthorN/A
AuthorT U Mehta
PublisherUmedchand and Kusumbaben Charitable Trust Ahmedabad
Publication Year1999
Total Pages32
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy