________________
પડે છે અને “અજીવ' તત્ત્વના ગુણોને પોતાની ચૈતન્ય શક્તિ પૂરી પાડે છે. તેથી સંસારની આ વિવિધ ઘટમાળો અને તેમાંથી ઉત્પન્ન થતાં સુખદુ:ખ “જીવને ભોગવવા પડે છે. આથી “જીવને અબાધિત સુખની સ્થિતિ ત્યારે જ પ્રાપ્ત થાય કે જ્યારે તેનો અનાદિ કાળથી ચાલ્યો આવતો “અજીવ’ સાથેનો સંસર્ગ તૂટે અને તે શુદ્ધ ચૈતન્યમય દશાને પ્રાપ્ત કરે.
“અજીવ તત્ત્વ”
આમ હોવાથી સહેજે પ્રશ્ન થાય કે “અજીવ' સાથેનો જીવ’નો આ સંસર્ગ કેવી રીતે તોડવો? આ પ્રશ્નનો જવાબ શોધીએ તે પહેલાં “અજીવ તત્ત્વ શું છે અને તેના પ્રકારો કેવા હોય છે તે જાણીએ.
તત્ત્વજ્ઞોએ “અજીવ'ના પાંચ પ્રકાર કહ્યાં છે. તે નીચે મુજબ છે. (૧) પુદ્ગલ (૨) ધર્મ (૩) અધર્મ (૪) આકાશ (૫) કાળ. જૈન પરિભાષામાં આ પાંચ પ્રકારોને પાંચ ‘દ્રવ્યો” કહે છે. તે જ રીતે “જીવને છઠું દ્રવ્યકહે છે. સંસારની ઘટમાળ સમજવા માટે આ છ દ્રવ્યોની સમજ જરૂરની છે. તેમાંના ‘જીવ દ્રવ્યની સમજ શું છે તે આપણે ઉપર જોઈ ગયા. હવે “અજીવ'ના પાંચ દ્રવ્યોની સમજ શું છે તે જોઈએ.
(૧) “પુગલ’
પ્રથમ દ્રવ્ય “પુદ્ગલ' છે. “અજીવ'ના આ પાંચ દ્રવ્યોમાં અતિ અગત્યનું આ દ્રવ્ય છે. તેનો શાબ્દિક અર્થ કરીએ તો પુદ્ગલ થાય. પુત્ એટલે જે વસ્તુ ભેગી થાય છે - સમન્વય કરે છે. ગલ એટલે જે વસ્તુ છૂટી પડે છે. આથી “પુદ્ગલ' શબ્દનો અર્થ થાય કે વસ્તુની એવી સ્થિતિ કે જે સતત ભેગું થાય અને છૂટું પડે, એટલે કે જે ક્ષણે ક્ષણે બદલાતું રહે, જે સ્થિર સ્વરૂપનું ન હોય. મનુષ્ય જીવનનું ભૌતિક સ્વરૂપ ક્ષણે ક્ષણે બદલાતું જ રહે છે. કામ, ક્રોધ, મોહ, માન, માયા, મદ, લોભ, લાલચ વગેરે કષાયોનું સ્વરૂપ સ્થિર રહી શકતું જ નથી.
જૈન દર્શનની રૂપરેખા
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org