SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ પુરતો જ થઈ શકે. આ સિધ્ધાંતોથી સ્પષ્ટ છે કે જુદા જુદા સંજોગોની અપેક્ષાએ જુદી જુદી પરિસ્થિતિનું નિર્માણ થાય છે, જે અનેકાન્તનું જ સ્વરૂપ છે. ઘણા કેસમાં એક કરતાં વધારે તહોમતદારો હોય છે જેમાં બધાએ સાથે મળીને કાવત્રુ કરેલ હોય. આવા કેસોમાં કોઈ એક તહોમતદાર બીજા સયતોમમતદાર વિરૂધ્ધ જુબાની આપે તો તેના ઉપર કેટલો આધાર રાખી શકાય? તેના જવાબમાં એવું ધોરણ છે કે સતતહોમતદારની જુબાની ઉપર ત્યારે જ આધાર રાખી શકાય કે જ્યારે બીજા આધારલાયક પુરાવાથી તેને સમર્થન મળે. આજ રીતે કોઈ તહોમતદારે પૂર્વે કોર્ટ સમક્ષ ગુન્હાની કબુલાત કરી હોય પરંતુ તે બાદ તે ફરી ગયો હોય તો પૂર્વે કરેલ કબુલાત ઉપર કેટલો આધાર રાખી શકાય તે પ્રશ્ન બાબત પણ એવું ધોરણ સ્વીકારવામાં આવે છે કે આવા સંજોગોમાં પૂર્વે કરેલ કબુલાતને બીજા આધાર લાયક પુરાવાનો ટેકો હોવો જોઈએ. કોર્ટે હંમેશા મૌખિક જુબાની કરતાં દસ્તાવેજી પુરાવા ઉપર વિશેષ આધાર રાખે છે. તેમાં પણ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવના ચાર તત્વોમાંથી “કાળ” તત્વ ઉપર વધારે વજન આપે છે, કારણ કે જે દસ્તાવેજ તકરાર શરૂ થયા પહેલાં અસ્તિત્વમાં આવેલ હોય અને જેમાં હકીકતોની લેખિત રજુઆત થએલ હોય તે તકરાર દરમ્યાનની મૌખિક જુબાની કરતાં વિશેષ વિશ્વાસજનક હોય. આ પણ અનેકાન્તના સિધ્ધાંતોને અનુરૂપ છે. દિવાની તથા ફોજદારી કેસો કઈ પધ્ધતિથી ચાલે તેને માટે સીવીલ પ્રોસીજર કોડ અને ક્રીમીનલ પ્રોસીજર કોડ તેમ બે કાનુનો છે. જેના તમામ પ્રબંધો અનેકાન્તના સિધ્ધાંતોને અનુકૂળ છે જે દર્શાવે છે કે અનેકાન્તના સિધ્ધાંતો ન્યાય વિતરણ માટે કેટલા સક્ષમ છે. આ સંબંધમાં એકત્રીજો કાનુન છે જે પણ તેટલો જ અગત્યનો છે અને અનાયાસે અનેકાન્તના મૂળભૂત સિધ્ધાંતોને અનુકૂળ છે. આ કાનુન છે ઈન્ડીઅન એવીડન્સ એકટ -પુરાવાનો કાનુન. જેની નીચે કઈ જાતનો પુરાવો કેટલે અંશે ગ્રાહ્ય થઈ શકે તે બાબતના પ્રબંધો છે. આ પ્રબંધોની રૂએ તકરારી વિષયોને લગતી અને તેના ઉપર પ્રકાશ પાડતી હકીકતો ક્યારે અને કેવી રીતે સાબીત કરી શકાય તેનું માર્ગદર્શન છે, જે તમામ વિવિધ અપેક્ષાલક્ષી હોઈને અનેકાન્તના સિધ્ધાંતોને જ સમર્થન આપે છે. આ પ્રબંધો મુજબ કોઈપણ પ્રસંગના ઘણા લક્ષણોમાંથી ફક્ત અમુક જ લક્ષણોને ધ્યાનમાં લઈને ચુકાદો અનેકાન્ત દષ્ટિE Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004589
Book TitleJivan Vyavaharni Sahajikta
Original Sutra AuthorN/A
AuthorT U Mehta
PublisherUmedchand and Kusumbaben Charitable Trust Ahmedabad
Publication Year2004
Total Pages52
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy