SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રાવક કવિ મનસુખલાલ વિષયના સ્વરૂપનું વર્ણન કરતાં કવિ જણાવે છે કે – અગ્નિ બૂઝી શકે જલ થકી, બૂઝે નહિ કાળની આગ રે કોડ, સમુદ્રના જલ થકી, દુષ્ટ અતિ મદનનો રાગ રે. વિષય વિષ પરિહરો ચેતના. / ૧ //. જીવહિંસા વિષયવશ કરે, આદરે જૂઠ અદત્ત રે, કુશીલ પરિગ્રહ આદરે, કરી કરી અધિક મમત્તરે. વિષય. // ૩ // (સુ.., પા. ૧૧૮) કવિ જિનવાણીના સંદર્ભ આપી જણાવે છે કે – જ્ઞાનીને રાગ હોવે નહિ, રાગ વિણ વિષય ન હોય ચેતન જી; સાર સિદ્ધાંતનો એ લહી, વિષય તજો સહુ કોઈ ચેતન જી. બલિ. // ૧૨ // (સુ.પ્ર., પા. ૧૨૧) વીર વચન હૃદયે ધરો, ભવધિ તારક જેહ રે. વિષય વિકાર નિવારતાં, પ્રગટે નિજ ગુણ ગેહ રે. વીર. // ૧ // (પા. ૧૨૯) મમત્વ ત્યાગ વિશે કવિ જણાવે છે કે – સકલ શાસ્ત્રનો સાર એ સહી, સુનય સેવિને આત્મતા લહી; મમત ત્યાગને જાગિએ સદા, પરમ આત્મનો લાભ લ્યો ખુદા. (સુ.પ્ર., પા. ૧૩૫) (લલિત છંદ) ઉત્તમ નરભવ લાહો લીજે, આતમ અનુભવ પ્યાલા પીજે; આલપંપાલ જંજાલ નિવારી, શુદ્ધાતમ પદમાં મતિ ધારી. / ૧ // Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004583
Book TitleShravaka Kavi Mansukhlal
Original Sutra AuthorN/A
AuthorKavin Shah
PublisherKusum K Shah Bilimora
Publication Year1999
Total Pages180
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy