SearchBrowseAboutContactDonate
Page Preview
Page 247
Loading...
Download File
Download File
Page Text
________________ એક દિન વીર-નિણંદને, ચરણે કરી પ્રણામ; ભવિક જીવના હિત ભણી, પૂછે ગૌતમ સ્વામ. મુક્તિ મારગ આરાધિએ, કહો કિણ પરે અરિહંત; સુધા સરસ તવ વચન રસ, ભાખે શ્રી ભગવંત. 'અતિચાર આલોઈએ, વ્રત ધરીએ ગુરુ શાખ; જીવ ખમાવો સયલ જે, યોનિ ચોરાશી લાખ. વિધિશું વળી વોસિરાવીયે, પાપત્થાન અઢાર; ચાર શરણ નિત્ય અનુસરો, નિંદો દુરિત આચાર. ૬. શુભ કરણી અનુમોદીએ, ‘ભાવ ભલો મન આણ; “અણસણ અવસર આદરી, નવપદ જપો સુજાણ. શુભગતિ આરાધન તણા, એ છે દશ અધિકાર; ચિત્ત આણીને આદરો, જેમ પામો ભવપાર. (ઢાળ પહેલી) જ્ઞાન દરિસણ ચારિત્ર તપ વીરજ, એ પાંચે આચાર; એહ તણા ઈહ ભવ પરભવના, આલોઈએ અતિચાર રે, પ્રાણી ! જ્ઞાન ભણો ગુણ ખાણી, વીર વદે એમ વાણી રે. પ્રા. જ્ઞા. ૧. ગુરુ ઓળવીએ નહિ ગુરુ વિનય, કાળે ધરી બહુ માન; સૂત્ર અર્થ તદુભય કરી સૂધાં, ભણીએ વહી ઉપધાન રે. પ્રા. શા. ૨. જ્ઞાનોપગરણ પાટી પોથી, ઠવણી નોકારવાલી; તેહ તણી કીધી આશાતના, જ્ઞાન ભક્તિ ન સાંભળી રે. પ્રા. શા. ૩. ઈત્યાદિક વિપરીતાણાથી, જ્ઞાન વિરાછું જેહ; આ ભવ પરભવ, વળી રે ભવોભવ, મિચ્છામિ દુક્કડં તેહ રે, પ્રાણી ! સમકિત લ્યો શુદ્ધ પાણી, વીર પદ એમ વાણી રે. પ્રા. સ. ૪. જિન વચને શંકા નવિ કીજે, નવિ પરમત અભિલાષ; સાધુ તણી નિંદા પરિ હરજો, ફળે સંદેહ મ રાખ રે. પ્રા. સ. ૫. શ્રી પુણ્ય પ્રકાશનું સ્તવન Jain Education International 2010_03 ૨ ૨૨ For Private & Personal Use Only શ્રુતસરિતા www.jainelibrary.org
SR No.004582
Book TitleShrutasarita
Original Sutra AuthorN/A
AuthorRajnibhai C Shah
PublisherNarendra Mulchand Shah Mumbai
Publication Year2008
Total Pages474
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy