SearchBrowseAboutContactDonate
Page Preview
Page 161
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપસંહાર : ઉત્તરાધ્યયનના ૨૯મા અધ્યયનમાં કાર્યોત્સર્ગનો મહિમા સમજાવતાં પ્રભુશ્રી મહાવીર સ્વામીએ ફરમાવ્યું છે કે કાઉસગ્ન આત્માને કેવલજ્ઞાન પર્યત કે પરમાનંદની પ્રાપ્તિ પર્યત લઈ જાય છે; અને તેથી મહર્ષિઓએ તેનું આલંબન લીધું છે. મહાત્મા દઢપ્રહારી, ચિલાતીપુત્ર, ગજસુકુમાલ, અવંતિસુકુમાલ, પ્રસન્નચંદ્ર રાજર્ષિ વગેરે તેના મનનીય ઉદાહરણો છે. ભવ્ય જીવો કાઉસગ્નના એક શ્વાસોશ્વાસમાં ૨,૪૫,૪૦૮ પલ્યોપમ જેટલું દેવગતિનું આયુષ્ય બાંધે છે. એક લોગસ્સના પચીસ શ્વાસોશ્વાસમાં ૬૧,૩૫,૨૦૦ પલ્યોપમ જેટલું દેવગતિનું આયુષ્ય જીવ બાંધે છે. - ચેષ્ટા કાઉસગ્ગની અપેક્ષાએ, અભિભવ કાઉસગ્ગ જ વિપુલ નિર્જરાપ્રધાન હોઈ મોક્ષગતિ પ્રદાન કરવાનું સામર્થ્ય ધરાવે છે. અભિભવ કાઉસગ્નમાં નવકાર કે લોગસ્સના બદલે કોઈ પણ ધાર્મિક શુભ વિષયનું ચિંતન કરવું જોઈએ. ભવ ભાંગવા, ભાવ કેળવવા અને સ્વભાવ પામવા માટે નિત્ય ધર્મ તરીકે અભિભવ કાઉસગ્ગ' પ-૧૦-૧૫-૨૦ કે વધુ મિનિટ માટે દરરોજ કરવાની સુટેવ પાડવી. વિચારનો સાર તત્ત્વજ્ઞાન છે. તત્ત્વજ્ઞાનનો સાર ધર્મ છે; અને ધર્મનો સાર “આચાર” છે. તપના આ બારે પ્રકાર “આચાર” રૂપે પરિણમે તેવી શુભ ભાવના. શ્રી વીસ સ્થાનક તપ - પદોનો સંક્ષિપ્ત પરિચય | ન. | પદ પરિચય તીર્થકરનામ કર્મ | ઉપાર્જન કરનાર ૧ | અરિહંત સવિ જીવ કરું શાસનરસિ-આવી ઉત્કૃષ્ટ ભાવદયા દેવપાલ રાજા ચિંતવતા-ચારે ઘાતકર્મોને ખપાવ્યા હોય ર ! સિદ્ધ સમ્યક રત્નત્રયીની આરાધના કરી આઠે કર્મોને હસ્તિપાલ રાજા ખપાવી સિદ્ધ-બુદ્ધ-મુક્ત થાય હોય પ્રવચન | ૩૫ ગુણો વડે શોભતી અને મોક્ષમાર્ગ દેખાડતી જિનદત્ત શેઠ સર્વજ્ઞના પ્રવચનની શ્રેષ્ઠ કક્ષાની વિશ્વતારકતા | | આચાર્ય ૩૬ ગુણોના ધારક, નામાદિ નિક્ષેપે, ભાવ પુરુષોત્તમ રાજા આચાર્ય હોય સ્થવિર ગીતાર્થ, રત્નાધિક, દીર્ધ સંયમ પર્યાયથી સ્થવિર પક્વોત્તર રાજા અને અન્યને સંયમ માર્ગમાં સ્થિર કરે તે ૬ | ઉપાધ્યાય | ર૫ ગુણોના ધારક કે જે વાચક-પાઠક છે અને મહેન્દ્રપાલ સાધુઓને ભણાવનારા સકળ સંઘના આધારરૂપ ૭ | સાધુ ૨૭ ગુણોના ધારક, સ્વ-પરનું હિત સાધનાર, વીરભદ્ર | મોક્ષમાર્ગ ઉપર ચાલનાર જિનશાસનના શણગાર અભ્યતર તપ યાત્રા ૧૩૬ શ્રુતસરિતા Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004582
Book TitleShrutasarita
Original Sutra AuthorN/A
AuthorRajnibhai C Shah
PublisherNarendra Mulchand Shah Mumbai
Publication Year2008
Total Pages474
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy