SearchBrowseAboutContactDonate
Page Preview
Page 132
Loading...
Download File
Download File
Page Text
________________ ૪ - સહણા = શ્રઘાન ૫ - ભૂષણો ૩ - લીંગ = ચિન્હ ૫ - લક્ષણો ૧૦ - વિનય - હેય, શેય, ઉપાદેયનો વિવેક ૬ - પ્રકારે જયણા ૩ - શુદ્ધિ - મંતવ્યના અર્થમાં ૬ - આગારો ૫ - દોષોનો અભાવ ૬ - ભાવના ૮ - પ્રકારે ભાવના ૬ - સ્થાનો ૪. સહૃણા - શ્રદ્ધાન : (૧) પરમાર્થ સંસ્તવ (૨) પરમાર્થ જ્ઞાતૃસેવન (૩) વ્યાપન સર્જન (૪). કુદ્રષ્ટિ વર્જન પ્રથમનાં બે ગુણો સમ્યગૂ દ્રષ્ટિ ન થઈ હોય તો થવાના નિમિત્ત છે. બીજા બે ગુણો સમ્ય દ્રષ્ટિને રક્ષણરૂપ છે. (૧) પરમાર્થ સંસ્તવ : પરમાર્થ = જેમાં પદાર્થ-અર્થની પૂર્ણ પ્રાપ્તિ છે સંસ્તવ = આદર, બહુમાન. જીવા જીવાદિ તત્વોનો અત્યંત બહમાન પૂર્વક પરિચય અર્થાત્ તે તત્વોનો યથાર્થ બોધ. (૨) પરમાર્થ જ્ઞાતૃસેવન : શુદ્ધ ધર્મના ઉપદેશકો તેવા આચાર્ય કે સાધુ ભગવંતોની સેવા કરનારા. તેમના વચન વિશ્વાસ રાખે. (૩) વ્યાપન વર્જન : વ્યાપનઃ કુશીલાદિફ વર્જન ત્યાગ. જૈન દર્શને યોગ્ય સાધુ વેષમાં હોય પણ જેને દર્શનનું વચન થયુ છે તેવા નિન્હવ, કુશીલ, સ્વચ્છેદને પોષનારનો ત્યાગ કરવો. (૪) કુદ્રષ્ટિ વર્જન : જે દર્શનમાં એકાંત મિથ્યાત્વ જેવો ઉપદેશ હોય તેવા અન્ય દર્શનીઓનો મધ્યસ્થ ભાવે ત્યાગ કરવો. ૩. લીંગ ઃ ચિન્હ : (૧) સુશ્રુષા (૨) ધર્મરાગ (૩) દેવ-ગુરૂની વૈયાવચ્ચનો નિયમ. (૧) સુશ્રુષા : ધર્મ શ્રવણની ઈચ્છા. આત્મા શુદ્ધ સ્વરૂપ છે તેજ ધર્મ છે તેવો નિર્ણય. (૨) ધર્મરાગ : ચારિત્ર ધર્મનો રાગ. તે પ્રમાણે વર્તન કરવાની દ્રઢતા સમક્તિ વંતને ચારિત્ર અભિલાષા તીવ્ર પણે હોય. (૩) દેવ-ગુરૂની વૈયાવચ્ચની પ્રતિજ્ઞા : જીવ સ્વયં દેવસ્વરૂણ છે તે પ્રગટ કરવા શ્રી અરિહંત દેવોની શુધ્ધિપૂર્વક સેવા, પૂજા, ભક્તિ વગેરે કરવાની દ્રઢ પ્રતિજ્ઞા કરવી. દશવિધ વિનય : (૧) અરિહંત ભગવંત તથા સામાન્ય કેવળનો (૨) સિધ્ધ ભગવંતનો (૩) જિનપ્રતિમાનો (૪) આચારાગ આદિ આગમો (૫) ક્ષમાદિ દશ ધર્મ (૬) સર્વ સાધુજનો (૭) આચાર્ય ભગવંતો (૮) ઉપાધ્યાય (૯) પ્રવચન (શ્રીસંઘ) (૧૦) સમકિતવંત આત્માઓનો વિનય કરવો. આ ૧૦ સ્થાનકોની વિનયની વિધિનાં પાંચ પ્રકારો છે. (૧) ભક્તિ : ઉપરનાં ૧૦ સ્થાનકો પ્રત્યે અંતરથી બહુમાન રાખી ભક્તિ કરવી. (૨) પૂજા : વસ્ત્ર, પાત્ર, અન્નપાનાદિ આપવા વડે સત્કાર કરવો. મૃતસરિતા - ૧૦૭ સર્વ ગુણોના રાજા-મહારાજા સમ્યગુદર્શન Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004582
Book TitleShrutasarita
Original Sutra AuthorN/A
AuthorRajnibhai C Shah
PublisherNarendra Mulchand Shah Mumbai
Publication Year2008
Total Pages474
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy