SearchBrowseAboutContactDonate
Page Preview
Page 89
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧. પુષય - પાપ ટિપણ ૧. શુભ કર્મપ્રકૃતિઓનો આસ્રવ તે પુણ્ય કહેવાય છે અને અશુભ કમપ્રકૃતિઓનો આસવ તે પાપ કહેવાય છે. ઉમાસ્વાતિએ જેનદનનાં સાત તત્વ ગણ્યાં છે અને પુણય તથા પાપને આસવના જ બે ભેદ તરીકે વર્ણવ્યાં છે. -તત્ત્વાર્થ. ૬. ૩૪. કેટલાક આચાર્યો પુણ્ય પાપને પણ સ્વતંત્ર તત્ત્વ ગણી નવ તત્ત્વની સંખ્યા પૂરી કરે છે. જુઓ નવતત્વ ગા) ૧. વિશેષ વ્યાખ્યા. માટે હરિભકૃત પુષ્ટક જેવું. પુયપાપ માનવાની ભલામણ ભગવાને સૂત્રકૃતાંગ (૨. ૫. ૧૬) માં કરી છે. ૨. પુણ્યના ૪૨ ભેદ છે અર્થાત શુભ પ્રકૃતિઓ જર છે – ૧. સાતવિદનીય, ૨. ઉચ્ચત્ર, ૩. મનુષ્યગતિ, ૪. મનુષ્યાનુપૂર્વી, ૫. દેવગતિ, ૬. દેવાનુમૂવી, ૭. પંચેન્દ્રિય જાતિ, ૮-૧૨. પાંચ શરીર, ૧૩-૧૫. ઔદારિક, વૈકિય અને આહારકનાં અંગે પાંગ, ૧૬. વર્ષભનારાચ સંધચણ, ૧૭. સમચતુરસ્ત્રસંસ્થાન, ૧૮. શુભ વર્ણ, ૧૯. શુભ ગંધ, ૨૦. શુભ રસ, ૨૧. શુભ સ્પર્શ, ૨૨. અગુરુલઘુ, ૨૩. પરાઘાત, ૨૪. શ્વાસે શ્વાસ, ૨૫. આતપ, ર૬. ઉદ્યોત, ર૭. શુભવિહગતિ, ૨૮, નિર્માણ, ૨૯-૩૮. ત્રસદશક, ૩૯. સુરાયુ, ૪૦. મનુષ્યાયુ, ૪૧. તિર્યંચાયુ, ૪૨. તીથ કરનામ. આ જરમાં સામાન્યપણે શુભતા હોવાથી તે અપેક્ષાએ પુણ્ય એક કહ્યું છે. – નવતગાર ૧૦–૧૧. આ સિવાયની ૮૨ પ્રકૃતિએ એ પાપપ્રકૃતિઓ છે. નવતત્વ ગા. ૧૩–૧૪. પુણ્યપ્રકૃતિની ગણતરીમાં મતભેદ પણ છે. જુઓ – તત્વાર્થ૦ ૮. ૨૬. ૩. અન્નપુણયની બાબતમાં સરખા બીદ્ધ માન્યતા પણ: “જે માણસ ભેજન દે છે, તે લેનારને ચાર વસ્તુ આપે છે: વણ, સુખ, બલ અને આયું. તેનું ફળ દાતાને એ છે કે દેવાયુ, દિગ્યવર્ણ, દિવ્યસુખ અને દિવ્યબલ.” – અંગુત્તર૦ ૪.૫૮. Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004581
Book TitleSthananga Samvayanga
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1995
Total Pages1022
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy