SearchBrowseAboutContactDonate
Page Preview
Page 821
Loading...
Download File
Download File
Page Text
________________ ૧. સઘવ્યવસ્થા ૧૯૭ ત્રણ ગુપ્તિ, એ પ્રવેશ અને એક નિષ્ક્રમણ – આ બધુ કૃતિકમ માં આવશ્યક છે’.૧ [-સમ૦ ૧૨] ટિપ્પણ ૧. ચતુવિધ સંઘ - જૈન ક્શાનકામાં યાંય એવી વાત જોવામાં નથી આવી કે ફાચ પણ કાઈ તી કરે સ્રોએને પ્રત્રજ્યા લેવાના નિષેધ કર્યો હેાય. એટલે સધ હંમેશાં ચતુવિધ જ મનાયા છે. બૌદ્ધ પરંપરામાં આથી ઊલટું જોવામાં આવે છે. બૌદ્ધસંધમાં સર્વપ્રથમ ભિક્ષુ, ઉપાસક અને ઉપાસિકા એમ ત્રિવિધ સધ હતા. બુદ્ધ ભગવાનની માસી મહાપ્રજાપતિ ગૌતમીએ જાતે ભગવાનને સ્રીઓને પ્રવ્રજ્જા લેવાની અનુમતિ આપવા બહુ જ વિનવ્યા પણ બુદ્ધે અનુમતિ આપી નહિ. આથી ગૌતમી બહુ જ ખિન્ન થયાં અને અશ્રુભર્યા નયને પાછાં ફર્યાં. ભગવાનના મુખ્ય શિષ્ય આન ંદે જ્યારે તેમની આ સ્થિતિ જોઈ, ત્યારે તેમણે પણ બુદ્ધને એ બાબતમાં વિનંતી કરી. પ્રથમ તેા બુદ્ધ એ વિષે રાજી થયા નિહ. પછી આન દે વાત ફેરવીને એમ પૂછ્યું, “તે। શું ભગવાન, સ્રીએ આપના બતાવેલ ધર્મને અનુસરી ઉત્કૃષ્ટ ફળને પામી શકે છે કે નહિ? ભગવાને આના ઉત્તર હકારમાં આપ્યા એટલે આનંદે વળી પાછું ગૌતમીને પ્રચાની અનુમતિ આપવા કહ્યું. મુદ્દે ગૌતમીની સામે આઠ મેાટી શરતા મૂકી, તેમાની મુખ્ય તેા એ હતી કે, ભિક્ષુણીની પ્રવ્રજ્યા ગમે તેટલી લાંબી હાય છતાં તે જ દિવસે પ્રજિત થયેલા ભિક્ષુને તે વ‰ન કરશે. ગૌતમીએ આ બધી શરતે મંજૂર રાખી અને સ્ત્રીઓને પણ પ્રવ્રજ્યા લેવાના અધિકાર મેળવ્યા. પણ બુદ્ધને આ રુસ્સું નહિ -- એટલે છેવટે તેમણે આનંદને કહ્યું કે, આ સધમાં મે' સ્ત્રીઓને પ્રત્રજિત થવાની અનુમતિ તે। આપી છે, પણ તેનું ફળ એ આવશે કે સધમાં ૧. ખાર આવર્તના વિવરણ માટે જીએ પ્રકરણને અંતે ટિપ્પણ ન. ૧૬. Jain Education International_2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004581
Book TitleSthananga Samvayanga
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1995
Total Pages1022
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy