SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ ૩. ધર્મ (૨) વિક્ષેપણ કથાના ચાર ભેદે છે – ૧. સ્વસિદ્ધાન્ત બતાવીને પરસિદ્ધાન્ત બતાવે. ૨. પરસમય બતાવીને પિતાના સિદ્ધાન્તનું સ્થાપન કરે. ૩. સમ્યગ્વાદ કહીને મિથ્યાવાદ બતાવે. ૪. મિથ્યાવાદ કહીને સમ્યગ્વાદનું સ્થાપન કરે. સંવેદની કથાના ચાર ભેદ છે – ૧. ઈલોક સંવેદની. ૨. પરલોક સંવેદની. ૩. સ્વશરીર સંવેદની. ૪. પરશરીર સંવેદની. (૪) નિવેદની કથાના ચાર ભેદ છે –– હું ૧. આ લોકમાં કરેલાં માઠાં કર્મોનું માઠું ફળ અહીં જ મળે છે, એવી કથા. ૨. આ લેકમાં કરેલાં માઠાં કમેનું માઠું ફળ પર લોકમાં મળે છે, એવી કથા. ૩. પરલેકમાં કરેલાં માઠાં કર્મોનું માઠું ફળ આ લાકમાં મળે છે, એવી કથા. ૪. પરલોકમાં કરેલાં માઠાં કર્મોનું માઠું ફળ પરલોકમાં મળે છે, એવી કથા. હું ૧-૪. તેવી રીતે સત્કમના સુફળની ચતુર્ભાગી સમજી લેવી. -સ્થા. ર૮૨] . પ. વ્યવસાય ૧. વ્યવસાય અર્થાત્ પુરુષાથસિદ્ધિ માટેના અનુકાનના ત્રણ પ્રકાર છે – ધાર્મિક, અધાર્મિક અને મિશ્ર. ૨. અથવા બીજી રીતે વ્યવસાય (અર્થાત્ નિર્ણય) ના પ્રકારે આ છે:– પ્રત્યક્ષ, પ્રાયયિક, આનુગામિક. Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004581
Book TitleSthananga Samvayanga
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1995
Total Pages1022
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy