SearchBrowseAboutContactDonate
Page Preview
Page 377
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪૩ ૩. જીવપરિણામો (૨) મહતી ભદ્રીત્તરામાં પાંચથી માંડી ૧૧ સુધી ઉપવાસ કરવાના હોય છે. ૩૯૨ દિવસના ઉપવાસ અને ૪૯ પારણાના દિવસો–સર્વ મળી ૪૪૧ દિવસમાં તે પૂરી થાય છે. તેનો કોઠો નીચે પ્રમાણે – | ૮ | ૯ | ૧૦ | ૧૧ | ૮ | ૯ | ૧૦ | ૧૧ | ૫ ૬ | ૭ ૨) 6. | ૧૦ | ૧૧ | ૧૦ | ૧૧ | ૯ | ૧૦. ( ૧૧ | ૫ | ૬ ૨૪. ભિક્ષુપ્રતિમા – આ પ્રતિમા વિશિષ્ટ હનન અને શ્રતધારી ભિક્ષુઓએ ધારણ કરવાની છે. પહેલી એક માસની, તેમાં આહાર અને પાણીની એકેક દત્તિ સ્વીકારે બીજી બે માસની, તેમાં બબ્બે હૃત્તિ લે; એમ વધારતાં સાતમી પ્રતિમા સાત માસની, તેમાં સાત દત્તિ લે. આઠમી પ્રતિમા સાત' અહોરાત્ર સુધીની છે; તેમાં એક ઉપવાસ કરવાને, ગામની બહાર રહેવાનું, ઉત્તાનાદિ ગમે તે આસને રહી ઉપસર્ગ સહન કરવાના. નવમી પ્રતિમા આઠમ પ્રમાણે, પણ આસન ઊકડું વગેરે જ હોય. દશમી પણ આઠમી પ્રમાણે પણ આસન વીરાસન અથવા અર્ધ પર્યકાસન હોય. અગીયારમી પ્રતિમામાં બે ઉપવાસ હોય છે એટલી જ વિશેષતા સમજવી. બારમી પ્રતિમામાં ત્રણ ઉપવાસ હોય છે અને ત્રીજા ઉપવાસની રાત્રે લાંબા હાથ, મળેલા પગ, સહેજ નમેલું શરીર અનિમેષ નયન–યુક્ત થઈ કાયોત્સર્ગ કરે. ૨૫. પરવૈયાવૃત્યકમ પ્રતિમા – બીજાની સેવા કરવાની પ્રતિજ્ઞારૂપ—- આ ને પ્રતિમારૂપે ઉલ્લેખ કક્યાંય જોવામાં નથી આવ્યો એમ ટીકાકાર જણાવે છે. અને કહે છે કે, Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004581
Book TitleSthananga Samvayanga
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1995
Total Pages1022
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy