SearchBrowseAboutContactDonate
Page Preview
Page 320
Loading...
Download File
Download File
Page Text
________________ સ્થાનાંગલ્સમવાયાંગ: ૨ ૨. રાત્નિક હોય અને હળુકમી હોઈ ધમને આરાધક હોય; ૩. અવમરાત્નિકલ હોય અને ભારેમી હોઈ ધમનો અનારાધક હોય; ૪. અવરોનિક હોય પણ હળુકમી હાઈ ધમને આરાધક હોય. છુ નિર્ચથી, શ્રમણોપાસક અને શ્રમણે પાસિકા એ પણ નિગ્રન્થ જેમ ચાર પ્રકારનાં છે. -સ્થા. ૩ર૦]. નિત્થર પાંચ છે? – ૧. પુલાક, [ચોખા કાઢી લેતાં પાછળ રહેતાં ડાંગરનાં નિઃસાર ફેતરાં જેવા સંયમના સારથી શૂન્ય નિર્ગળ્યો. આ નિગ્રન્થ જિનેક્ત પદાર્થોમાં તો પાકો શ્રદ્ધાળુ હોય, પિતાની સમજ પ્રમાણે ક્રિયાનુષ્ઠાન પણ કરતા હોય, પણ તપ અને શ્રતના પ્રભાવથી જે કાંઈ લબ્ધિ પ્રાપ્ત થઈ હોય તેનો ઉપગ કરતા હોય છે, અને જ્ઞાનમાં અતિચાર લાગે તેવું વતન રાખતો હોય છે ]; ૨. બકુશ [ પિતાના શરીર અને ઉપકરણના ઠાઠમાં જ રાચીને પોતાના ચારિત્રને મલીન બનાવી મૂકનાર, શ્રાદ્ધ અને યશની કામના રાખનાર, સુખશીલ, માથાના વાળ કાતરથી કાપી પટિયા પાડનાર, અને દીક્ષા પર્યાય ટુંકાવ પડે એવા અતિચાર કરનાર. એમના ભેદ બે છે – શરીરબકુશ અને ઉપકરણબકુશ ]; ૧. પર્યાયલઘુ- સાધુ અવસ્થા ટૂંકી હોય તે અવમાનિક. ૨. જેને ધનાદિ બાહ્ય અને મિથ્યાત્વ, હિંસા આદિ આંતરિક ગાંઠ – બંધન ન હોય તે. વિશેષ માટે જુઓ તસ્વાર્થ૦ ૯. ૪૮થી. નિગ્રન્થનું રૂપવર્ણન ભગવતી (શ૦ ૨૫, ઉ૦ ૫, ૫૦ ૫૫) માં છે. Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004581
Book TitleSthananga Samvayanga
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1995
Total Pages1022
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy