SearchBrowseAboutContactDonate
Page Preview
Page 311
Loading...
Download File
Download File
Page Text
________________ ૩. જીવપરિણામે ૨૭૭ વિચાર કરવા તે વ્યવઙારનય. જેમકે, સત્ત્ના બે ભેદ છે જીવ અને અજીવ; અજીવના બે ભેદ છે સિદ્ધ અને સંસારી; સંસારીના બે ભેદ છે ત્રસ અને સ્થાવર ]; ---- ૪. ઋનુસૂત્ર : -- [ વસ્તુ વૈકાલિક છતાં તેની વતમાનસ્થિતિને જ પ્રધાનતયા વિચાર કરવા તે ઋજુસૂત્ર નય. જેમકે, સુવર્ણ વૈકાલિક છે છતાં ઋનુસૂત્રનયવાદી તેના કાઈ પણ એક મેદ વીટી જેવા ઘાટને જ વિચાર કરીને કહે કે આ વીટી છે }; ૫. શબ્દ : [શબ્દના અને વિચાર કરતી વખતે જે તેના કાલ, વચન, લિંગ ઇત્યાદિ ભેદ્દેશને ધ્યાનમાં રાખીને અભેદ કરે તે - શબ્દનય. જેમકે, આ નયને મતે આજના ઘટ એ ગઈ કાલના ઘટ કરતાં જુદા છે]; -- ૬. સમભિરૂઢ : — [ પર્યાયભેદે અના ભેદ કરે તે સમભિનય. આ નયને મતે રાજા, નૃપતિ ઇત્યાદિ પર્યાયવાચી શબ્દોના અર્થ જુદા છે. જેમકે, જે શાથે તે રાા; જે મનુષ્યોને રક્ષે તે નૃપ, ઇત્યાદિ]; ૭. એવ ભૂતઃ—— [ શબ્દનેા વ્યુત્પત્તિસિદ્ધ અર્થ જ્યારે વિદ્યમાન હોય ત્યારે જ તે શબ્દથી તે અને વાચ્ય માને, અન્યથા નહિ, તે એવભૂત નય. સમભઢને મતે રાજા શબ્દને વાચ્ય એટલે કે રાજા તરીકે ઓળખાતા માનવી શાલતા ન હેાય અર્થાત્ સામાન્ય વસ્ત્ર પહેરીને બેઠા હાય ત્યારે પણ રાજા કહેવાય; પણ એવભૂતનયને મતે તે જ્યારે તે રાજચિહ્નને ધારણ કરીને સિંહાસન પર બેઠા હાય અને શાલતા હાય, ત્યારે જ રાજા કહેવાય, અન્યથા નહિ]. [ -સ્થા॰ પપર] Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004581
Book TitleSthananga Samvayanga
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1995
Total Pages1022
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy