SearchBrowseAboutContactDonate
Page Preview
Page 237
Loading...
Download File
Download File
Page Text
________________ ૨. જીવ વિચાર - ૨૦૩ અદ્ધિવાળા મનુષ્યના છ ભેદ– ૧. અરિહંત, ૨. ચકવતી, ૩. બલદેવ; ૪. વાસુદેવ; ૫. ચારણ- જંઘાચારણ અને વિદ્યાચારણ – સાધુ; ૬. વિધાધર. ઋદ્ધિ વિનાના મનુષ્યના છ ભેદર– ; ૧. હિમવન્તના ૨. હિરણ્યવંતના; ૩. હરિવંશના; ૪. રમ્યકવ શના; ૫. કુરુના; ૬. અલ્તદ્વીપના. [–સ્થા ૪૧] ટિપણ ૧. ટીકાકાર ચરમ-અચરમને જે અર્થ કરે છે, તેથી સ્પષ્ટ નથી થતું કે સિદ્ધને સમાવેશ શામાં થાય. અચરમમાં થઈ ન શકે; કારણ ટીકાકાર કહે છે તેમ અચરમ એટલે તે ભવ્ય છતાં જેને ચરમ ભવ નથી થવાને તેવા. પરંતુ સિદ્ધને તો ભવ્ય તો ન કહી શકાય. હવે જે ચરમને અર્થ એ કરીએ કે જેને ચરમ ભવ થવાનું છે તે અથવા તો જેણે ચરમ ભવ કરી નાખે છે તેવા જીવે – તો આમાં ભવ્ય અને સિદ્ધ બને આવી જાય. અને જે અચરમને અર્થ એવો કરીએ કે જેને ચરમ ભવ થવાને નથી તેવા અર્થાત્ ભવ્ય કે અભવ્ય ગમે તે – તો આ વર્ગીકરણ સર્વ છાનું થયું કહેવાય. ૨. વેશ્યા એ યોગને એક પરિણામવિશેષ છે કારણ કેવળી જ્યાં સુધી સગી હોય છે ત્યાં સુધી શુકલ લેશ્યાવાળા પણ હોય છે અને જ્યારે અંતમુહૂર્ત શેષ રહે છે ત્યારે તેઓ યુગને નિરોધ કરે છે એટલે તે અગી અને અલેશ્ય બની જાય છે. એ યોગ તે બીજે કઈ નહિ પણ શરીર નામકર્મની પરિણતિવિશેષ સમજ. એટલે કે ઔદારિકાદિ શરીર વડે આત્મા પોતાના વીર્યને પરિણાવે છે તે કાયાગ કહેવાય છે- અને કાગનો પરિણામવિશેષ તે વેશ્યા. – લેશ્યા સંબંધી બીજા ૧. આ ભેદ ભગવતીમાં છે. પૃ૦ ૩૪ર. ૨. ઋદ્ધિવિનાના ૯ ભેદે આથી જુદા ભગવતીમાં છે – ક્ષેત્રાર્થ વગેરે. પૃ. ૩૪૨. Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004581
Book TitleSthananga Samvayanga
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1995
Total Pages1022
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy