SearchBrowseAboutContactDonate
Page Preview
Page 188
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૪ સ્થાનાગસમવાયગઃ ૧ બહિષ્કારના પ્રકારે છે. વળી કેઈને લિંગ-બહિષ્કૃત કરે એટલે કે તેને વેશ લઈ લેવામાં આવે. વળી છ માસથી માંડીને બાર વર્ષ પર્યન્તને બહિષ્કાર હોય છે તેથી કાલભેદે પણ તેના અનેક ભેદો થાય છે. વળી કોઈ તપ:પારસંચિક પણ હોય છે. આમ વિવિધ અપરાધે માટેનાં વિવિધ પારાચિક છે. વિસ્તરાથીએ બૂ૦ ભાષ્ય જેવું જોઈએ. તેના મુખ્ય બે ભેદ છે – ૧. આશાતના પારાચિક – તીર્થકર અને સંધની એકસાથે આશાતન કરે કે ગણધરની એકલાની આશાતના કરે તે પારાચિક પ્રાયશ્ચિત્ત લાગે છે; અને ૨. પ્રતિસેવના પારાચિક – એના ત્રણ ભેદ છે જે અહીં પ્રસ્તુત સૂત્રમાં બતાવ્યા છે. દુષ્ટ, પ્રમત્ત અને અન્યકારી. (૧) દુષ્ટના બે ભેદ છેઃ કષાયદુષ્ટ અને વિષયદુષ્ટ. અત્યંત લોભાદિ કષાય યુક્ત જે હોય તે કષાયદુષ્ટ પારાચિક કહેવાય – આવા જીવો પોતાને વિપક્ષો મરી ગયો હોય તો તેના મડદા પર પણ પોતાને રોષ ઠાલવે છે – આને માટે ભાષ્યમાં એવા સાધુનાં દ્રષ્ટાતો આપ્યાં છે જેમણે પોતાના ગુરુના મડદા પર પણ રોષ દાખવ્યો છે. આવા કષાયદુને લિંગપરાંચિકની સજા છે. –ભાષ્ય ગાત્ર ૪૯૮૬ થી. આ ગુરુ શિષ્ય બને સાધુ હેવાથી સ્વપક્ષકષાયદુષ્ટ કહેવાય છે. જેઓ પરપક્ષ અર્થાત સાધુ સિવાયના બીજા રાજા, અમાત્ય વગેરેને વધ કરવાનું વિચારતા હોય કે જેણે કર્યો હોય તેવા પર૫ક્ષકષાયદુષ્ટને પણ લિંગપરાંચિક છે. –ગા. ૪૯૯૪ થી. જે સાધુ સાધ્વીના વિષે કે ગૃહસ્થની પુત્રી કે પત્ની વિષે કે અન્યતીથિકની સાધ્વી વિષે આસકત હોય તે વિષયદુષ્ટ કહેવાય. આવા દુષ્ટને ક્ષેત્રપારાચિક આદિ પારાચિકે દેવાં. આવો સાધુ સકલ આર્યાસંઘનું અપમાન કરનાર ગણાય છે અને તે સૌથી પાપી લેખાય છે. તેવાને ફરી તેવું ન કરે માટે દૂર કરવો જોઈએ – ગાત્ર ૫૦૦૬ થી. (૨) કષાય, વિકથા આદિ પાંચ પ્રમાદમાંથી નિદ્રા પ્રમાદ અહીં પ્રસ્તુત છે. તેમાં પણ ત્યાન િનિદ્રા પ્રસ્તુત છે. આ નિદ્રા હોય તેને લિંગયારસંચિક છે. –ગાર પ૦૧૬ થી. (૩) સાધુ જે પરસ્પર ગુદાથી કે મુખથી કુચેષ્ટા કરે તે તેમને લિંગ પારાંચિક છે. –ગા૫૦૨૬ થી. ૨. અનવસ્થાપ્યઃ આ સૂત્ર બૃહકલ્પમાં (૪. ૩.) છે. પૃ૦ ૧૩૪૯. અહીં બતાવેલા , અપરાધો માટે જેટજેટલા સમય માટેનું અનવસ્થાપ્ય હેય તે પૂરું ન Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004581
Book TitleSthananga Samvayanga
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1995
Total Pages1022
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy