SearchBrowseAboutContactDonate
Page Preview
Page 153
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯ ૧૩. સંવર પ્રત્યાખ્યાન પાંચ પ્રકારનું છે – ૧. શ્રદ્ધાનશુદ્ધ (સવ પ્રત્યાખ્યાન જે પ્રમાણે લેવાનું કહ્યું હોય તે પ્રમાણે શ્રદ્ધાપૂર્વક લીધેલું); ૨. વિનયશુદ્ધ (ગુરુને વિધિપૂર્વક વદન કરી, મનવચન-કાયથી ગુપ્ત થઈને લીધેલું); ૩. અનુભાષણા-શુદ્ધ (ગુરુ જે શબ્દોમાં લેવરાવે તે શબ્દોની આવૃત્તિપૂર્વક લેવાયેલું); ૪. અનુપાલના શુદ્ધ (લીધેલી પ્રતિજ્ઞાનું પૂરેપૂરું પાલન જેમાં થાય તે); ૫. ભાવશુદ્ધ (પિતાની પ્રતિજ્ઞાને આ લેક કે પરલેકાદિની અભિલાષાથી, રાગ કે દ્વેષથી દૂષિત ન કરે તે). [-સ્થા૦ ૪૬૬] પ્રત્યાખ્યાન દશ પ્રકારનું છે? – ૧. અનાગત પ્રત્યાખ્યાન ( ભવિષ્યમાં તપ કમ આદિમાં બાધા આવશે એમ ધારી પ્રથમથી જ કરી લેવાતું); ૨. અતિકાન્ત પ્રત્યાખ્યાન (વર્તમાન તપ કર્મ આદિ ન કરી શકાયું હોય તો તેને બદલે પાછળથી કરાતું); ૩. કેટીસહિત પ્રત્યાખ્યાન (એક પ્રત્યાખ્યાન જે વખતે પૂરું થતું હોય ત્યાંથી જ બીજાની શરૂઆત કરવામાં આવે તે; ૪. નિયત્રિત પ્રત્યાખ્યાન (દરેક માસના અમુક દિવસે કરવાના તપની પ્રતિજ્ઞા), ૧. એક છઠ્ઠ જ્ઞાનશુદ્ધ પ્રત્યાખ્યાન પણ છે. પણ તેને શ્રદ્ધાનશુદ્ધમાં સમજી લેવું. ૨. આ દશ ભેદ ભગવતી શતક ૭, ઉદેવ ર૭; પૃ. ૧૩૬માં ગણાવ્યા છે. 3. આ પ્રતિજ્ઞા રાગોત્પત્તિ કે એવું બીજું કારણ આવી પડે તે પણ નભાવવી પડે છે. આ કાલમાં આવી પ્રતિજ્ઞા વિચ્છિન્ન થઈ ગઈ છે એટલે કે કેઈ આચરી શકતું નથી. Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004581
Book TitleSthananga Samvayanga
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1995
Total Pages1022
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy