SearchBrowseAboutContactDonate
Page Preview
Page 99
Loading...
Download File
Download File
Page Text
________________ મેરુસુંદરગણિરચિત ષડાવશ્યક બાલાવબોધ સંતિ ૨ વંમિ કહતાં, વળી, સોલમા શ્રીશાંતિનાથઃ પ્રભુને હું વંદન કરું છું. શાંતિનાથ સ્વયમેવ શાંતિના કરનાર હોવાથી શાંતિનાથ નામ સાર્થક છે. વળી, શાંતિનાથ પ્રભુ જ્યારે અચિરા રાણીની કુક્ષિમાં ગર્ભરૂપે આવ્યા, ત્યારે હસ્તિનાપુર નગરમાં મરકીનો ઉપદ્રવ ચાલતો હતો, પરંતુ પ્રભુ ગર્ભમાં આવ્યા પછી, પ્રભુની માતા અચિરા રાણીએ, નગરમાં અમૃતનો છંટકાવ કરાવવાથી મરકીનો ઉપદ્રવ શાંત થઈ ગયો હતો. તેથી પ્રભુનું નામ શાંતિનાથ પાડવામાં આવ્યું હતું. ૮૪ હસ્તિનાપુર નગરના વિશ્વસેન રાજાની, અચિરા નામની રાણીની કુક્ષિથી શાંતિનાથ પ્રભુનો જનમ થયો હતો. શાંતિનાથ પ્રભુએ એક હજાર પુરુષો સાથે દીક્ષા લીધી હતી. શાંતિનાથ પ્રભુને, ચક્રાયુધ પ્રમુખ છત્રીશ ગણધર, બાસઠ હજા૨ સાધુ, સૂચી પ્રમુખ, એકસઠ હજાર, છસો સાધ્વીઓ, બે લાખ, નેવુ હજાર શ્રાવક, ત્રણ લાખ, ત્રાણું હજાર શ્રાવિકા, ચાલીસ ધનુષ્ય પ્રમાણ દેહ, એક લાખ વરસનું આયુષ્ય, સુવર્ણવર્ણ, મૃગ લંછન અને સમેતશિખર ઊપર મોક્ષ. कुथउं अरं च मल्लि, वंदे मुणिसुव्वयं नमिजिणं च ॥ વામિનેિમિ, પાસું તહ વન્દ્વમાાં ત્ર ૧૪૫ શું કહતાં, સત્તરમા શ્રીથુનાથ પ્રભુને હું વંદન કરું છું. કુથુનાથ પ્રભુ ગર્ભમાં આવ્યા પછી, તેમની માતાએ રત્નના કુંથુ એટલે રાશિ, પૃથ્વીમાં દેખ્યા અથવા પ્રભુ જનમ્યા પછી કુશુંઆ વગેરે નાના-મોટા જીવોની જયણા દેશમાં પ્રવર્તી, તેથી પ્રભુનું કુંથુનાથ નામ પાડવામાં આવ્યું હતું. હસ્તિનાપુર નગરના શૂર રાજાની, શ્રીરાણી નામની રાણીની કુક્ષિથી શ્રીકુંથુનાથ પ્રભુનો જન્મ થયો હતો. શ્રીજુંથુનાથ પ્રભુએ, એક હજાર પુરુષો સાથે દીક્ષા લીધી હતી. તેઓને સંબ પ્રમુખ, પાંત્રીસ ગણધર, સાઠ હજાર સાધુ, દામિની પ્રમુખ, સાઠ હજા૨, છસો સાધ્વી, પાંત્રીસ ધનુષ પ્રમાણ દેહ, પંચાણું હજાર વરસનું આયુષ્ય, સુવર્ણવર્ણ, બોકડાનું લંછન અને સમેતશિખર પર્વત ઉપર મોક્ષ. ઞ શ્વ કહતાં, અઢારમાં શ્રીગરનાથ પ્રભુને હું વંદન કરું છું. હૈં કહેતાં, વળી અરિહંત જેવા સર્વોત્તમ પુરુષ જે કુલને વિષે ઉત્પન્ન થાય, તેને વધારવાને વૃદ્ધ પુરુષો અર એવું નામ કહે છે. વળી, અરનાથ પ્રભુ ગર્ભમાં આવ્યા ત્યારે, તેઓશ્રીના માતાએ સ્વપ્નમાં રત્નમય આરો તથા સ્તૂપ દેખ્યો હતો, તેથી પ્રભુનું અરનાથ નામ પાડવામાં આવ્યું હતું. હસ્તિનાપુર નામના નગરના સુદર્શન રાજાની, દેવી નામની રાણીની કુક્ષિથી શ્રી અરનાથ પ્રભુનો જનમ થયો હતો. શ્રીઅરનાથ પ્રભુએ, એક હજાર પુરુષો સાથે દીક્ષા લીધી હતી. તેઓને કુંભ પ્રમુખ તેત્રીસ ગણધર, પચાસ હજાર સાધુ, Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004580
Book TitleShadavashyak Balavbodha
Original Sutra AuthorMerusundar Gani
AuthorNiranjana Vora
PublisherNiranjana S Vora
Publication Year2006
Total Pages162
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy