SearchBrowseAboutContactDonate
Page Preview
Page 98
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી મેરુસુંદરગણિકૃત ષડાવશ્યક બાલાવબોધનો ટૂંકસાર પાડવામાં આવ્યું હતું. વળી, પ્રભુની માતાએ સ્વપ્નમાં અંત વગરની મોટી રત્નની માલા ગર્ભના પ્રભાવે દેખી હતી, તેથી પ્રભુનું નામ અનંત રાખવામાં આવ્યું હતું. અયોધ્યા નગરના સિંહસેન રાજાની, સુયશા નામની રાણીની કુક્ષિથી અનંતનાથ પ્રભુનો જન્મ થયો હતો. અનંતનાથ પ્રભુએ, એક હજાર પુરુષો સાથે દીક્ષા લીધી હતી. અનંતનાથ પ્રભુને, યશોભદ્ર પ્રમુખ પચાસ ગણધર, બાસઠ હજાર સાધુ, પદ્મા પ્રમુખ, સાઠ હજાર સાધ્વી, બે લાખ, છ હજાર શ્રાવક, ચાર લાખ, ચઉદ હજાર શ્રાવિકા, પચાસ ધનુષ પ્રમાણ દેહ, ત્રીશ લાખ વરસનું આયુષ્ય, સુવર્ણ વર્ણ, સિંચાણાનું લંછન, સમેતશિખર પર્વત ઉપર મોક્ષ. ૮૩ મળતું = નિળ કહતાં, ચૌદમાં અનંતનાથ પ્રભુને હું વાંદું છું. હૈં કહતાં વળી. નળ કહતાં, કર્મશત્રુને જીતનાર એવા. અનંત કર્મનાં અંશ જેઓએ જીત્યા છે. તથા જેઓને જ્ઞાન, દર્શન પણ અનંત છે માટે અનંત નામ સાર્થક છે. વળી, પ્રભુ જ્યારે ગર્ભમાં આવ્યા, ત્યારે અયોધ્યા નગરમાં ઘણા લોકોને તાવ આવતા હતો. પરંતુ પ્રભુની માતા સુયશા રાણીએ લોકોને અનંત ગાંઠના દોરા કરી બાંધ્યા હતા, અને તેથી લોકોમાં તાવનો ઉપદ્રવ શાંત થઈ જવાથી, પ્રભુનું નામ અનંત પાડવામાં આવ્યું હતું. વળી, પ્રભુની માતાએ સ્વપ્નમાં અંત વગરની મોટી રત્નની માલા ગર્ભના પ્રભાવે દેખી હતી, તેથી પ્રભુનું નામ અનંત રાખવામાં આવ્યું હતું. અયોધ્યા નગરના સિંહસેન રાજાની, સુયશા નામની રાણીની કુક્ષિથી અનંતનાથ પ્રભુનો જન્મ થયો હતો. અનંતનાથ પ્રભુએ, એક હજાર પુરુષો સાથે દીક્ષા લીધી હતી. અનંતનાથ પ્રભુને, યશોભદ્ર પ્રમુખ પચાસ ગણધર, બાસઠ હજાર સાધુ, પદ્મા પ્રમુખ, સાઠ હજાર સાધ્વી, બે લાખ, છ હજાર શ્રાવક, ચાર લાખ, ચઉદ હજાર શ્રાવિકા, પચાસ ધનુષ પ્રમાણ દેહ, ત્રીસ લાખ વરસનું આયુષ્ય, સુવર્ણ વર્ણ, સિંચાણાનું લંછન, સમેતશિખર પર્વત ઊ૫૨ મોક્ષ. ધર્માં કહતાં, પંદરમાં શ્રીધર્મનાથ પ્રભુને હું વંદન કરું છું. દુર્ગતિમાં પડતા પ્રાણીઓને બચાવે, માટે ધર્મનાથ. વળી, પ્રભુ ગર્ભમાં આવ્યા પછી, પ્રભુનાં માતાપિતા સારી રીતે, ધર્મપરાયણ થયા, તે ગર્ભનો પ્રભાવ જાણી, પ્રભુનું ધર્મનાથ નામ રાખવામાં આવ્યું હતું. રત્નપુર નગરના ભાનુ રાજાની, સુવ્રતા નામની રાણીની કુક્ષિથી ધર્મનાથ પ્રભુનો જન્મ થયો હતો. ધર્મનાથ પ્રભુએ, એક હજાર પુરુષો સાથે દીક્ષા લીધી હતી. ધર્મનાથ પ્રભુને, પ્રમુખ બેંતાલીસ ગણધર, ચોસઠ હજાર સાધુ, આર્યા શિવા પ્રમુખ બાસઠ હજાર, ચારસો સાધ્વી, બે લાખ ચાર હજાર શ્રાવક, ચાર લાખ, તેર હજાર શ્રાવિકા. પીસતાલીસ ધનુષ્ય પ્રમાણ દેહ, દશ લાખ વરસનું આયુષ્ય, સુવર્ણ વર્ણ, વજ્રનું લંછન, સમેતશિખર પર્વત ઉપર મોક્ષ. Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004580
Book TitleShadavashyak Balavbodha
Original Sutra AuthorMerusundar Gani
AuthorNiranjana Vora
PublisherNiranjana S Vora
Publication Year2006
Total Pages162
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy