SearchBrowseAboutContactDonate
Page Preview
Page 97
Loading...
Download File
Download File
Page Text
________________ ૮ર મેરુસુંદરગણિરચિત પડાવશ્યક બાલાવબોધ ચંપાનગરીએ મોક્ષ. વિમન કહતાં, તેરમાં શ્રીવિમલનાથ પ્રભુને હું વંદન કરું છું. જેઓને નિર્મલ જ્ઞાનાદિક છે, તેથી વિમલ કહીએ. વળી, પ્રભુ ગર્ભમાં આવ્યા પછી, કાંપિલ્યપુર નગરમાં, કોઈ સ્ત્રી-પુરુષ દેરાસરની પાસે આવીને ઉતર્યા. સ્ત્રી પાણી પીવાને નજીકમાં ગઈ હતી. તે વખતે તે જગ્યાએ કોઈ એક વ્યંતરદેવી ત્યાં રહેતી હતી. તેણે ત્યાં રહેલા પુરુષનું સુંદર રૂપ જોયું, તેથી તે વ્યંતરીને, ત્યાં રહેલા પુરુષ સાથે કામક્રીડા કરવાની ઈચ્છા ઉત્પન્ન થવાથી, વ્યંતરીએ, તેની સ્ત્રીના જેવું જ રૂપ વિકવ્યું અને પેલા પુરુષ પાસે આવીને બેસી ગઈ. એટલામાં જ પાણી પીવા ગયેલી સ્ત્રી પણ ત્યાં આવી. તે વખતે એક જ સરખી આકૃતિવાળી, બંને સ્ત્રીઓને જોઈને, પેલો પુરુષ વિચાર કરવા લાગ્યો કે, આ બંનેમાં ખરી સ્ત્રી કોણ છે? તે વખતે, પહેલીએ કહ્યું કે, હું તારી સ્ત્રી છું અને બીજીએ પણ કહ્યું કે, હું તારી સ્ત્રી છું. આ ત્રણેનો ઝઘડો રાજદરબારમાં આવ્યો. તે વખતે કૃતવર્મા રાજા અને પ્રધાન, બંને સ્ત્રીઓને એકસરખી જ દેખીને, આ ઝઘડાને નીવેડો લાવી શક્યા નહીં. પછી શ્યામા રાણીએ. પેલા પુરુષને એક બાજુ ઊભો રાખ્યો અને બીજી બાજુ કેટલેક દૂર બંને સ્ત્રીઓને ઊભી રાખી. પછી રાણીએ કહ્યું કે, જે સ્ત્રી પોતાના સત્યવચનના પ્રભાવથી, પતિને સ્પર્શ કરે તેનો આ પતિ જાણવો. તે સાંભળીને વ્યંતરીએ, દેવશક્તિના પ્રભાવથી પોતાના હાથ લાંબો કરીને પુરુષનો સ્પર્શ કર્યો. તે વખતે તરત જ રાણીએ તેનો હાથ પકડીને કહ્યું કે, તું તો વ્યંતરી છે, માટે તારા સ્થાનકે જતી રહે. આવી રીતના જુદાજુદા ચાર ન્યાય કરવાથી, પ્રભુના ગર્ભનો આ પ્રભાવ જાણી, પ્રભુનું વિમલ નામ રાખવામાં આવ્યું હતું. કંપિલપુર નગરના કૃતવર્મ રાજાની, શ્યામા નામની રાણીની કુક્ષિથી વિત્તિનાથ પ્રભુનો જન્મ થયો હતો. પ્રભુએ એક હજાર પુરુષોની સાથે દીક્ષા લીધી હતી. તેઓને મંદર પ્રમુખ, સત્તાવન ગણધર, ધરણ પ્રમુખ બાસઠ હજાર સાધુ, એક લાખ આઠસો સાધ્વી, ત્રણ લાખ આઠ હજાર શ્રાવક અને ચાર લાખ, ચોવીસ હજાર શ્રાવિકાઓ. સાઠ ધનુષ પ્રમાણ દેહ, સાઠ લાખ વરસનું આયુષ્ય, સુવર્ણવર્ણ, સૂઅરનું લંછન અને સમેતશિખર પર્વત ઊપર મોક્ષ. માં ૨ નિ કહતાં, ચૌદમાં અનંતનાથ પ્રભુને હું વાંદું છું. રકહેતાં વળી. ઉનાં કહેતાં કર્મશત્રુને જીતનાર એવા. અનંત કર્મનાં અંશ જેઓએ જીત્યાં છે, તથા જેઓને જ્ઞાન, દર્શન પણ અનંત છે માટે અનંત નામ સાર્થક છે. વળી, પ્રભુ જયારે ગર્ભમાં આવ્યા, ત્યારે અયોધ્યા નગરમાં ઘણા લોકોને તાવ આવતો હતો. પરંતુ પ્રભુની માતા સુયશા રાણીએ લોકોને અનંત ગાંઠના દોરા કરી બાંધ્યા હતા, અને તેથી લોકોમાં તાવનો ઉપદ્રવ શાંત થઈ જવાથી, પ્રભુનું નામ અનંત Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004580
Book TitleShadavashyak Balavbodha
Original Sutra AuthorMerusundar Gani
AuthorNiranjana Vora
PublisherNiranjana S Vora
Publication Year2006
Total Pages162
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy