SearchBrowseAboutContactDonate
Page Preview
Page 96
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી મેરુસુંદરમણિકૃત પડાવશ્યક બાલાવબોધનો ટૂંકસાર ૮૧ દસ્થ રાજાની, નંદા નામની રાણીની કુક્ષિથી ઉત્પન્ન થયા હતા. પ્રભુનો નેવું ધનુષ પ્રમાણ દેહ, એક લાખ પૂર્વ વરસનું આયુષ્ય, સુવર્ણવર્ણ, શ્રીવત્સ લંછન, અને સમેતશિખર પર્વત ઉપર મોક્ષ. “સિક્વંસ કહતાં, અગિયારમાં શ્રી શ્રેયાંસનાથને હું વંદન કરું છું. સર્વ જગતનું શ્રેય એટલે હિતના કરનાર માટે શ્રેયાંસ. વળી, શ્રેયાંસ પ્રભુના પિતા વિષ્ણુ રાજાના ઘરદેરાસરમાં વંશપરંપરાગત એક દેવાધિષ્ઠિત શાની પૂજા કરવામાં આવતી હતી. તે શય્યા ઉપર જે કોઈ બેસે કે સૂવે તેને, દેવ ઉપદ્રવ કરતો હતો. તે શ્રેયાંસ પ્રભુ ગર્ભમાં આવ્યા પછી, પ્રભુની માતા વિષ્ણા રાણીના મનમાં આવ્યું કે, દેવ, ગુરુની પ્રતિમાની પૂજા થાય, પરંતુ શવ્યાની પૂજા તો કોઈ ઠેકાણે સાંભળી નથી. એમ ચિંતવીને, શવ્યાની રક્ષા કરનાર પુરુષે ના પાડવા છતાં પણ, પ્રભુની માતા, તે શપ્યા ઉપર બેઠા અને સૂઈ પણ ગયાં. તે વખતે ગર્ભના પ્રભાવથી, તેનો અધિષ્ઠાયક દેવ તે શય્યા છોડીને જતો રહ્યો. પછીથી વિષ્ણુ રાજાએ તે શવ્યાને, સૂવાના ઉપયોગમાં લીધી. આ રીતે પ્રભુની માતાને એમ થયું એટલે પ્રભુનું નામ શ્રેયાંશ પાડવામાં આવ્યું. શ્રેયાંસનાથ પ્રભુ સિંહપુર નગરના વિષ્ણુ રાજાની વિષ્ણા નામની પટરાણીની કુક્ષિથી ઉત્નપ્ન થયા હતા. શ્રેયાંસનાથપ્રભુએ એક હજાર પુરુષો સાથે દીક્ષા લીધી હતી. પ્રભુને, કૌસ્તુભ પ્રમુખ બોંતેર ગણધર, ચોરાસી હજાર સાધુ, એક લાખ ત્રીશ હજાર સાધ્વી, બે લાખ અગણાએંશી હજાર શ્રાવક, ચાર લાખ અડતાલીસ હજાર શ્રાવિકા. શ્રેયાંસનાથ પ્રભુનો એંશી ધનુષ પ્રમાણ દેહ, ચોરાશી લાખ વરસનું આયુષ્ય, સુવર્ણવર્ણ, ખંડગી લંછન અને સમેતશિખર પર્વત ઉપર મોક્ષ. વાસુપૂ ર કહતાં બારમાં શ્રીવાસુપૂજ્ય સ્વામી ને હું વંદન કરું છું. વસુ જે દેવતા વિશેષ તેમને પૂજવા યોગ્ય માટે વાસુપૂજ્ય કહીએ. વળી, પ્રભુ જ્યારે ગર્ભમાં આવ્યા પછી, વસુ જે હિરણ્યની ઈંદ્ર મહારાજે, પ્રભુના માતાપિતાને ત્યાં, વારંવાર વૃષ્ટિ કરી તેથી વાસુપૂજ્ય, વળી, પ્રભુ જ્યારે ગર્ભમાં આવ્યા પછી, વસુ જે હિરણ્યની ઇંદ્ર મહારાજે, પ્રભુના માતાપિતાને ત્યાં, વારંવાર વૃષ્ટિ કરી તેથી વાસુપૂજ્ય. વળી. વસુપૂજય રાજાના પ્રભુ પુત્ર હોવાથી વાસુપૂજ્ય નામ પ્રભુનું પાડવામાં આવ્યું હતું. ચંપાનગરીના વસુપૂજય રાજાની જયા નામની રાણીની કુક્ષિથી વાસુપૂજયસ્વામી ઉત્પન્ન થયા હતા. - વાસુપૂષપ્રમુએ, છસો પુરુષો સાથે દીક્ષા લીધી હતી. પ્રભુને, સુમ પ્રમુખ ૬૨ ગણધર, બોતેર હજાર સાધુ, ધરણી પ્રમુખ એક લાખ સાથ્વી, બે લાખ. પંદર હજાર શ્રાવક, ચાર લાખ છત્રીસ હજાર શ્રાવિકા. શ્રીવાસુપૂજયસ્વામીનો સિત્તર ધનુષ પ્રમાણ દેહ, બોંતેર લાખ વરસનું આયુષ્ય, રક્તવર્ણ, મહિષ લંછન અને Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004580
Book TitleShadavashyak Balavbodha
Original Sutra AuthorMerusundar Gani
AuthorNiranjana Vora
PublisherNiranjana S Vora
Publication Year2006
Total Pages162
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy